Book Title: Jawahir Vyakhyan Sangraha Part 02 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
૪૬૬ ]. શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ બીજા ભાદરવા
સંસારમાં કોઈ તે આધિદૈવિક શાન્તિ ચાહે છે. કોઈ આધિભૌતિક શાન્તિ ચાહે છે અને કોઈ આધ્યાત્મિક શાન્તિ ચાહે છે. પણ ભકતોના હૃદયમાં શાન્તિ વિષે કોઈ જુદા જ પ્રકારની ભાવના હોય છે. તેઓ તે એમ ચાહે છે કે, “હે ! પ્રભો ! અમને તે તારી ભક્તિરૂપી જ શાંતિ મળે. અમે તારી ભક્તિમાં એવા તલ્લીન રહીએ કે જાણે અમે તારી ભક્તિરૂપી શક્તિનું પાન કરતા હોઈએ.”
અહીં એક પ્રશ્ન ઉભો થાય છે કે, ભગવાનની પાસે શાન્તિની યાચના શા માટે કરવામાં આવે છે? શું પિતાનામાં શાનિત નથી કે ભગવાનની પાસે શાન્તિની યાચના કરવામાં આવે છે ? આ પ્રશ્નનો ઉત્તર એ છે કે, જે પ્રમાણે કે પુરુષના ઘરમાં ધન છે પણ તેને પિતાના ઘરમાં ક્યાં ધન પડયું છે તેની ખબર નથી એટલે તે બીજાની સહાયતા ચાહે છે. આ જ પ્રમાણે ભક્ત પણ કહે છે કે, હે ! પ્રભો ! મારામાં શાતિ પ્રાપ્ત કરવાની શક્તિ તે છે, પણ તે શક્તિ એવી રીતે દબાઈ ગઈ છે કે મને તે શક્તિની પ્રાપ્તિ થવી તે દૂર રહી પરંતુ તે શક્તિને પત્તે પણ લાગતું નથી.”
કઈ માણસની આંખમાં જાળું જામી ગયું હોય, તે એ દશામાં પ્રકાશ પિતાની પાસે હોવા છતાં જાળું જામી જવાને કારણે આંખનો પ્રકાશ આચ્છાદિત થઈ જાય છે. જ્યારે કઈ વૈદ્ય કે હકીમ મળીને એ જાળાંને કાપી નાંખે છે અને આંખ ઉપર આવેલા આવરણને દૂર કરી નાંખે છે ત્યારે તે આંખની તિ પાછી ઝળકે છે. આવરણ દૂર થવાથી તેને ગએલી જાતિ પાછી મળતી નથી, પરંતુ જે તિ પિતાની પાસે હતી તે જ પ્રગટ થઈ છે; છતાં તે રોગી તે એમ જ માને છે કે, એ વૈદ્ય કે હકીમે મને જ્યોતિ આપી છે. આમ માનવું એ રોગીની નમ્રતા છે. આ જ પ્રમાણે ભક્તજને પરમાત્માને કહે છે કે, “હે ! પ્રભો ! મારા ગુણ ઉપર આવરણ આવી રહ્યું છે. એ આવરણ આપ જેવા વૈદ્યની કૃપા વિના દૂર થઈ શકે એમ નથી. એટલા માટે આપ મારા ગુણ ઉપર આવેલાં આવરણોને દૂર કરે. વૈધદ્વારા જેમની આંખનું આવરણ દૂર થયું છે, તે વ્યક્તિ તે આંખનું આવરણ દૂર થવાથી વિકારી ચીજ પણ જોઈ શકે છે; પરંતુ હે ! પ્રભો ! આપ મને એવી શાન્તિ આપો કે જેથી હું વિકારી ચીજને ન જેઉં પણ અવિકારી ચીજને જ જોઉં. અનાથી મુનિને અધિકાર-પ૧
અનાથી મુનિ રાજા શ્રેણિકને પણ આ જ વાત કહી રહ્યા છે. તેઓ કહે છે કે, મનુષ્ય પહેલાં તે અનાથતામાં રખડે છે પણ સુયોગથી જ્યારે તે અનાથતામાંથી નીકળવા માટે સાધુ બને છે ત્યારે કઈ કઈ એમાંથી એવા કાયર પણ હોય છે કે જેઓ પાછા અનાથતામાં પડી જાય છે. આત્મતત્વને આત્મામાં સ્થિર રાખવું બહુ જ મુશ્કેલ છે. જે કોઈ આત્મા આત્મતત્વને સ્થિર રાખે છે તે ઘણે જ લાભ પ્રાપ્ત કરી શકે છે. - આજે વિકારી લોકોને જોઈ, બધાને વિકારી સમજવામાં આવે છે. છેડા સાધુઓને સાધુતાથી પતિત થએલા જોઈ બધા સાધુઓની નિંદા કરવામાં આવે છે, પણ આમ કરવું એ ભૂલ છે. યુનીવર્સીટીની પરીક્ષા દેનારાઓમાંથી શું કઈ નાપાસ થતા નથી? ઘણા વિદ્યાર્થીઓ નાપાસ પણ થાય છે પણ શું એ કારણે યુનીવર્સીટી બંધ કરી દેવામાં આવે છે ? નહિ, કારણ કે, જે ભણે છે તે ભૂલે પણ છે. આ જ પ્રમાણે સાધુતા પણ ભગવાન અહંતની