Book Title: Jawahir Vyakhyan Sangraha Part 02 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
શુદ ૯ ]
રાજ કેટ-ચાતુર્માસ
[૪૨૫ છે. જેનશાસ્ત્રમાં પાંચ મહાવ્રત અને યોગદર્શનમાં પાંચ યામ કહેવામાં આવ્યાં છે. પણ બલિહારી તે તેમની છે કે જેઓ પાંચ મહાવતે કે પાંચ યમોનું બરાબર પાલન કરે છે. યોગશાસ્ત્રમાં કહ્યું છે કે, અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ પાંચ યામે છે. આ જ પ્રમાણે જેનશાસ્ત્રમાં પણ કહ્યું છે કે, કોઈની હિંસા ન કરવી, અસત્ય ન બોલવું અણદીધેલું ન લેવું, શીલવતનું પાલન કરવું અને કોઈ પણ વસ્તુ ઉપર મમત્વ ન રાખવું એ પાંચ મહાવ્રત છે. અણુવ્રતમાં થોડી છૂટ રહે છે. જેમકે અહિંસાનું પાલન કરીશ પણ જે મારો અપરાધ કરશે તેને હું દંડ આપી શકીશ. આ પ્રમાણે અહિંસા પાલનમાં એક છૂટ રાખી એટલા માટે આ વ્રતનું નામ અણુવ્રત છે. આ પ્રકારની છૂટ રાખી જે માણસ અપરાધી સિવાય બીજા કોઈને કષ્ટ આપતા નથી તે માણસ અણુવ્રતનું પાલન કરનાર છે. અણુવ્રત અને મહાવ્રતમાં આ જ અંતર છે કે, અવ્રતમાં તે કોઈ પ્રકારની છૂટ રાખવામાં આવે છે, જ્યારે મહાવતેમાં કોઈ પ્રકારની છૂટ રાખવામાં આવતી નથી. એગદર્શનમાં પાંચ યામેની વ્યાખ્યા કરતાં કહેવામાં આવ્યું છે કે, દેશ, જાતિ, કાલ, સમય વગેરેને કોઈ પણું. પ્રકારને અપવાદ રાખ્યા વિના અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહનું પાલન કરવું એ પાંચ યમોનું પાલન કરવું છે. પાંચ યામમાં કે પાંચ મહાવ્રતમાં દેશ, જાતિ, કાળ કે સમય વગેરેને કોઈ પ્રકારને અપવાદ રાખવામાં આવતું નથી. અણુવ્રતમાં અમુક અપવાદ રાખવામાં આવે છે. જેનદર્શનમાં એ જ વિશેષતા છે કે, પ્રત્યેક વ્યક્તિ પિતાની શક્તિ પ્રમાણે ધર્મને સ્વીકાર કરી શકે છે અને તેનું પાલન કરી શકે છે. .
દેશથી પ્રતિબંધને અર્થ એ છે કે, હું અમુક દેશમાં તે અહિંસાદિનું પાલન કરીશ પણ અમુક દેશની બહાર અહિંસાદિનું પાલન કરી શકીશ નહિ. આ પ્રકારની છૂટ મહાવ્રતમાં કે પાંચ યામમાં હોઈ શકતી નથી. આ જ પ્રમાણે અમુક જાતિના છેવોને નહિ મારું એ અપૂર્ણ અહિંસા છે. પણ જેનશાસ્ત્ર કહે છે કે, મહાવતેમાં એકેન્દ્રિય, હીન્દ્રિય વગેરે કઈ જાતિના જીવોની હિંસા કરવાની છૂટ હોઈ શકે જ નહિ. જે અહિંસામાં આ પ્રકારની અપૂર્ણતા છે તે અહિંસા અણુવ્રતમાં છે, મહાવ્રતમાં નથી. મહાવ્રતમાં તે એકેન્દ્રિય આદિ પ્રત્યેક જાતિના જીવોની અહિંસા કરવી, કરાવવી તથા અનુમોદવાની પ્રતિજ્ઞા એકી સાથે કરવામાં આવે છે અને તેને જ અહિંસામાં સમાવેશ થાય છે.
એ આજે મહાવ્રતની આ વ્યાખ્યા ન સમજવાને કારણે ઘણું જ ગડબડ થવા પામે છે. કેટલાક લોકો કહે છે કે, અમે હિંસા તે ન કરીએ પણ બીજાને કહીને કરાવીએ કે હિંસાને ઉપદેશ આપીએ તે તેમાં શું હરકત છે ? ખરી રીતે બીજાએ કરેલી હિંસાને અનુમોદન આપે છે તે સાધુ નથી. સાધુ તે તે છે કે, જે હિંસા કરે નહિ, કરાવે નહિ તથા હિંસાને અનમેદન પણ આપે નહિ. આ દેશમાં, અમુક દેશમાં હિંસા નહિ કરું અને અમુક દેશમાં કરીશ એવી સીમા બાંધવામાં આવે છે તે અણુવ્રતમાં છે. જેમકે દિવ્રતમાં એવી પ્રતિજ્ઞા લેવામાં આવે છે કે, હું અમુક સીમાની બહારની હિંસાને ત્યાગ કરું છું. આ અણુવ્રત માટે છે. સાધુઓ માટે તે મ ાવત છે કે જેનું પાલન બધા દેશમાં સમાનરૂપે કરવું આવશ્યક છે. સાધુને અઢીદીપની બહાર પણ કેઈ લઈ જાય તે પણ તે સાધુ અહિંસાદિ મહાવ્રતનું પાલન અપવાદ રાખ્યા વિના પૂર્ણરૂપે