Book Title: Jawahir Vyakhyan Sangraha Part 02 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
*
*
*
૪૫૮]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ બીજા ભાદરવા
વ્યાખ્યાન: સંવત્ ૧૯૯૨ બીજા ભાદરવા વદી ૨ શુક્રવાર
પ્રાર્થના ધરમ જિનેશ્વર મુખ હિયડે બેસે, યારા પ્રાણ સમાન; કબહું ન વિસરું હે ચિતારું નહીં, સદા અખંડિત ધ્યાન. ધરમ ૧
–વિનયચંદ્રજી કુંભટ વીશી
ધર્મનાથ ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે. આત્માની શુદ્ધ ભાવનાનું સ્વરૂપ જ પ્રાર્થના છે. અર્થાત પ્રાર્થના, આત્માની ભાવનાનું જ રૂપ છે. પ્રાર્થના વિષે પ્રાયઃ હું હમેશાં થોડું ઘણું કહ્યા કરું છું, પણ મારા કહેવા માત્રથી જ તમને કાંઈ લાભ થશે નહિ, પરંતુ આત્મલાભ માટે તે તમારે પિતાએ પ્રયત્ન કરે પડશે. જેમકે વહુને સાસુ એમ તે કહે છે કે, “તું પાણી ભરવા તે જાય છે, પણ સાવધાની રાખજે, ક્યાંય ઘડે ફુટી ન જાય.” સાસુ આમ કહે છે પણ ઘડે ન ફુટે તેની સાવધાની તે વહુએ જ રાખવી પડે છે. આ જ પ્રમાણે પ્રાર્થના વિષે હું તમને વારંવાર કહ્યા કરું છું, પણ તે વિષે સાવધાની તે તમારે જ રાખવી પડશે. એટલા માટે હે ! દેવાનુપ્રિયે! તમે તમારા આત્માના હિતૈષી બની પ્રાર્થના વિષે પૂરેપૂરી સાવધાની રાખો.
પનિહારી માથા ઉપર ઘડે ઉપાડી ચાલી જાય છે ત્યારે એમ વિચારે કે, હું માથા ઉપર ઘડે ઉપાડી સખીઓની સાથે વાતચીત કરી શકું કે નહિ? જે તેને પિતાને વાતચીત કરવાની સાથે ઘડાની રક્ષા કરવાની ખાત્રી હોય તે તે તે વાત પણ કરી શકે, પણ જે વાત કરવાની સાથે ઘડાની રક્ષા કરવાની તેને ખાત્રી ન હોય તે પછી તેને વાત કરવાને અધિકાર પણ નથી. આ જ પ્રમાણે તમે પણ જુઓ કે, તમે સંસારનાં કામ અને પરમાત્માની પ્રાર્થનામાં એક સાથે ચિત્ત એકાગ્ર કરી શકે છે કે નહિ ? જે એક સાથે બને કામ કરી શક્તા નથી તે પછી તમે એમ વિચારે કે, “હું સંસારની ભાવનામાં જ રહી ન જાઉં અને એ કારણે મારી પ્રાર્થના ઢગ જ બની ન જાય ? ”
આગળ કહેવામાં આવ્યું છે કે ભાવનાનું સ્વરૂપ જ પ્રાર્થના છે. ભાવના એટલે શું એ સમજવું પણ આવશ્યક છે. ભાવના વિષે પાતંજલિ યુગ સૂત્રમાં કહ્યું છે કે -- भावना भाव्यस्य विषयान्तरपरिहारेण चेतसि पुनः पुनर्निवेशनम्। भाव्यं च द्विविधम् ईश्वरस्तत्त्वानि च। तत्वानि द्विविधानि जडाजडभेदात् ।
અર્થાત–ભાવ્યની સિવાય બીજે ક્યાંય ચિત્તને જવા ન દેવું તેનું નામ જ ભાવના છે. જો કે, ચિત્તની ચંચલતા હોવાને કારણે ચિત્ત ચુંટતું નથી, છતાં પણ તેને પકડીને એકાગ્ર કરવું અને ભાવ્યમાં જ રાખવું એનું નામ ભાવના છે.
હવે “ભાવ્ય” એટલે શું એને અત્રે વિચાર કરીએ. ભાવ્ય બે પ્રકારનું છે. એક તે ઈશ્વર” અને બીજું “તત્વ”. જે ઈશ્વર-વીતરાગમાં જ ભાવના રાખવી છે અને તેમને જ ભાવ્ય બનાવવા છે તે ચિત્તને બીજી જગ્યાએ જવા ન દેતાં તેમનામાં જ એકાગ્ર કરવું