Book Title: Jawahir Vyakhyan Sangraha Part 02 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ બીજા ભાદરવા કયાં આ તારે સુદર્શન ભક્ત ! તારા આ ભક્તને જોઈ મને એ વિચાર આવે છે કે હું તને ઉપાલંભ કેવી રીતે આપી શકું ?” - “હે ! પ્રભો ! મારામાં પૂજાવવાની પ્રીતિ વધારે રહી છે. પૂજવાની પ્રીતિ રહી નથી. મારી પૂજા થાય એમ જ હું ચાહું છું. હું બીજાની પૂજા કરે એ વાત તે દર રહી, પણ જે કાઈ બીજાની પૂજા થતી જોઉં છું તે હું બળીને ખાખ થઈ જાઉં છું. હું બીજાને તે શીખામણ આપું છું પણ હું પોતે જ એ શીખામણને માનતા નથી. હું સ્નેહ અને પ્રેમવશ થઈ મેં જે પાપકર્મો કર્યા છે, એ પાપકર્મોને તે હું હૃદયમાં છુપાવી, રાખું છું; પણ થોડું ઘણું સુકૃત કરું છું, તે, એ સુકૃતને મોટું રૂપ આપી જગજાહેર કરું છું. એવી અવસ્થામાં હે ! પ્રભે ! તમને ઉપાલંભ કેવી રીતે આપી શકું ! આ વાત મને સુદર્શન ભક્તને જોઈ જાણવામાં આવી.”
હે ! પ્રભો ! હું થોડું ઘણું સુકૃત કરું છું તે છળકપટ તે સુકૃતને છીનવી લઈ જાય છે. હું એટલે બધો દંભ કરું છું કે મેં જે કાંઈ થોડું સુકૃત કર્યું તે પણ નષ્ટ થઈ જાય છે. આ પ્રમાણે સુદર્શન ભક્તને જોઈ મારી ભૂલ મને સમજમાં આવી. અને હું સમજી શક્યો કે, પરમાત્માને ભક્ત તે ત્યારે જે બની શકું કે જ્યારે હું સુદર્શન જેવો બનું.”
કેટલાક લેકે સુદર્શનને જોઈ આમ કહેતા હતા તે કેટલાક લેકે સુદર્શનને હસતા જોઈ આ કે. દિવાને છે એમ કહેતા હતા. - સુદર્શન બધા લેકેની પ્રશંસાત્મક અને નિંદાત્મક વાત સાંભળ હતો. પણ તેને તે કેઈના પ્રતિ રાગ ન હતું તેમ હૈષ પણ ન હતું. તે તે પ્રતિપક્ષી ભાવનાદ્વારા વિતર્કોને તેડતા જ હતે. તમે પણ સુદર્શનની માફક પ્રતિપક્ષી ભાવનાધારા વિતર્કોને તેડતા જાઓ તે તેમાં તમારું કલ્યાણ રહેલું છે.
વ્યાખ્યાન: સંવત્ ૧૯૯૨ બીજા ભાદરવા સુદી ૧૧ રવિવાર
પ્રાથના ચેતન જાણુ કલ્યાણ કરન કે, આન મિલે અવસર રે; શાસ્ત્ર પ્રમાણ પિછાન પ્રભુ ગુન, મન ચંચલ થિર કર રે.
- શ્રેયાંસ જિર્ણોદ સુર રે. છે ૧
–વિનયચંદ્રજી કુંભટ વીશી
શ્રેયાંસનાથ ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે. પરમાત્માની પ્રાર્થના અને પરમાત્માના નામસ્મરણદ્વારા ભકતોને જે આનંદ મળે છે તે આનંદ જગતના જીવોને પણ મળે એવી ભક્તોને ઈચ્છા રહે છે.
છેજે પ્રમાણે કોઈ ઉદાર માણસ પોતાને ત્યાં પેદા થતી સારી વસ્તુને પોતે જ ઉપભેગ કરવા ચાહત નથી, પણ એ સારી ચીજ બધાને મળે એમ તે ચાહે છે; તે જ પ્રમાણે