Book Title: Jawahir Vyakhyan Sangraha Part 02 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
શુદ ૧૧] રાજકોટ–ચાતુર્માસ
[૪૪૭ અલ્લાનું નામ લઈ કોઈના ગળા ઉપર છરી ફેરવે તે શું તે ઠીક કહેવાશે ? એટલા માટે કેવળ નામને ભેદ ન જુઓ પણ ગુણ જુઓ. પરમાત્માનું નામ લઈ કેવાં કામ કરે છે તેને વિચાર કરો, અને ખરાબ કામને ત્યાગ કરે છે તેમાં કલ્યાણ છે. સુદર્શન ચરિત્ર–૪૮ T કોઈ વાર આસુરી પ્રકૃતિને વિજય થતું હોય એવું જણાય છે પણ આસુરી પ્રકૃતિની આખરે કેવી હાર થાય છે એ વાત સુદર્શનના ચરિત્ર ઉપરથી જુઓ. સુદર્શન સા હતા છતાં તેને શૂળીએ ચડાવવા માટે લઈ જવામાં આવ્યો. લેકે સુદર્શનની નિંદા કરતા હતા અને અભયાની પ્રશંસા કરતા હતા. કોઈ એમ કહેતા હતા કે, આ સુદર્શને તે રાણીના શીલને નષ્ટ કરવાનો પ્રયત્ન કર્યો જ હતો પણ રાણી પિતાના શીલમાં દઢ રહી એટલે જ તેને પ્રયત્ન નિષ્ફળ ગયો. આ પ્રમાણે અભયા આસુરી પ્રકૃતિની હતી છતાં પણ તેની પ્રશંસા થતી હતી, અને સુદર્શન દૈવી પ્રકૃતિને હોવા છતાં તેની નિંદા થઈ રહી હતી. બહુમત તે આસુરી પ્રકૃતિવાળી અભયાના પક્ષમાં જ હતા એ કારણે શું આસુરી પ્રકૃતિવાળાને સારા કહી શકાય ? દુનિયામાં કપટી અને ઠગારા લેકે વધારે હશે પણ એથી શું કપટને સારું કહી શકાય ? ભલે સત્યના પક્ષમાં કઈ ન પણ હોય, પણ પરમાત્મા તે સત્યની સાથે જ છે. એટલા માટે સત્યને જ માનવું, બેટાને ન માનવાં.
શૂળીને જોઈ સુદર્શન વિચારતો હતો કે, આ શૂળી મારા નવકાર મંત્રની ઇષ્ટસિદ્ધિ કરવા માટે મને ભેટવા ચાહે છે. હું એમ નથી ચાહતું કે, શુળી તૂટી જાય અને તેનું સિંહાસન બની જાય પણ એટલું તો અવશ્ય ચાહું છું કે, શળીએ ચડવા છતાં પણ મારા હૃદયમાં કેઈના પ્રતિ-રાણીના પ્રતિ-પણુ ઠેષભાવ ન આવે. મારામાં એવી ભાવના પણ ન આવે છે તે અપરાધી છે અને હું નિરપરાધી છું. પહેલાં હું અપરાધી-નિરપરાધીને ભેદ માનતો હતો પણ હવે તે મારા માટે એ બન્ને સમાન જ છે.
સુભટ શેઠ કે ધરે શૂલી પર, હાહાકાર કા નાદ; શૈલી સ્થાન છે હુઆ સિંહાસન, બજે દુંદુભિ નાદ. ધન ૧૮ છત્ર ધરે ઔર ચામર વીજે, કુસુમધાર; ધ્વજા ઉડત હૈ વિજયા જયન્તી, સુર બેલે જયકાર. ધન ૧૦૯ો .
अनेकजन्मसंसिद्धिस्ततो याति परां गतिम् । આ મહાવાક્ય છે. સિદ્ધિને સાધવા માટે જ્યારે તીવ્ર વૈરાગ્ય પેદા થાય છે ત્યારે આ ભવમાં નહિં તે આવતા ભવમાં અવશ્ય સિદ્ધિ મળે છે. આ વાત સુદર્શન ચરિત્ર ઉપરથી વિશેષ સ્પષ્ટ થાય છે. સુદર્શનને પૂર્વ ભવમાં પેટમાં ખીલે ખેંચી ગયા હતા અને તેનું મૃત્યુ થયું હતું પણ તેનું ધ્યાન તે નવકાર મંત્રમાં જ હતું. તે વખતે તેના સ્થૂલ શરીરની રક્ષા નવકાર મંત્રથી ન થઈ. આ વાતને સુદર્શનને કાંઈ વિચાર પણ ન આવ્યો. સુદર્શન તે એમ જ વિચારતા હતા કે, મારું આ સ્થૂલ શરીર કેઈ કારણથી જ છૂટે છે. તેનું ધ્યાન તે નવકાર મંત્રમાં જ હતું. અને નવકાર મંત્રનો પૂર્વજન્મથી તેને અભ્યાસ હતો એટલે તેને નવકાર મંત્રનું ધ્યાન આ જન્મમાં પણ રહ્યું. આ ઉપરથી અદશ્ય શક્તિ છૂપી રીતે કેટલું કામ કરે છે તે જણાઈ આવે છે. આજના લેકે કેવળ દશ્ય શક્તિને જ જુએ છે પરંતુ અદસ્ય શક્તિ