Book Title: Jawahir Vyakhyan Sangraha Part 02 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
૪૩૦ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ બીજા ભાદરવા માટીને ઘડો બનતો નથી ત્યાંસુધી માટી પગ તળે કચડાય છે—કોઈના માથા ઉપર ચડી શકતી નથી, તે જ પ્રમાણે સંગ્રહનયમાં જ રહેવાના કારણે હું પણ સંસારમાં જ ભ્રમણ કરી રહ્યો છું. હવે મને માલુમ પડયું કે, જે હું શબ્દનયથી તારું દર્શન એક વાર પણ કરી લઉં તે હું સંગ્રહાયમાંથી એવંભૂત નયમાં પહોંચી જાઉં અર્થાત હું તારા જ જે બની જાઉં.”
મતલબ કે, ભક્ત કહે છે કે, “હે! પ્રભો ! મારા આત્માને ઉન્નત બનાવવામાં તું જ અમેધ સાધનભૂત છો; તારા સિવાય બીજું કોઈ નથી. એટલા માટે હું તારી પ્રાર્થના કરું છું.”. અનાથી મુનિને અધિકાર–૪૭
આ જ વાત અનાથી મુનિ રાજા શ્રેણિકને કહી રહ્યા છે. તેઓ કહે છે કે, “હે! રાજન! જે લોકો વિપુલ સંપત્તિ પામીને પણ અહીં તહીં રખડે છે તે લેકે ભાનભૂલેલા છે. જે અવસર, માટીને ચાક ઉપર ચડાવી ઘડે બનાવવાનું હોય, તે જ અવસરે જે માટીને ચાક ઉપરથી ઉતારી ફેંકી દેવામાં આવે તે એ અવસર કેવો ગુમાવ્યો કહેવાય ? આ જ પ્રમાણે મનુષ્યજન્મ અને નિર્ચન્વધર્મ પ્રાપ્ત થવા છતાં જેઓ દુઃખ પામે છે, તેઓ કે સુઅવસર ગુમાવે છે ? ઊંચી સ્થિતિએ જઈ આ કેવું નીચે પડવા જેવું છે? આવા નીચે પડનારા લકે ઉપર જ્ઞાનીજને કરુણ કરે છે.” તમે કોઈને નીચે પડતા જુઓ તે તેમના ઉપર તમને કરુણ આવશે, પણ બીજાઓ ઉપર કરુણા કરતાં પહેલાં પિતા ઉપર કરુણા કરવાની જરૂર છે. સર્વપ્રથમ પિતાના આત્મા ઉપર જ કરુણા કરવી જોઈએ.
आउत्तया जस्स य नत्थि कोई, इरियाए भासाए तहेसणाए। आयाणनिक्खेवदुर्गुच्छणाए, न वीरजायं अणुजाइ मग्गं ॥४०॥
અનાથી મુનિ કહે છે કે, “હે ! રાજન! હવે હું જુદા પ્રકારની અનાથતાને વિચાર કરું છું. જેઓ નિર્મથધર્મને પ્રાપ્ત કરીને પણ પતિત થઈ જાય છે તે લોકોની હવે હું વાત સમજાવું છું. આ વાત સમજાવવાનું કારણ એ છે કે, એક માણસ તે બીજાને પતિત થતે જોઈ સાહસહીન થઈ જાય છે અને બીજો માણસ બીજાને પતિત થતે જોઈ વધારે સાહસી બને છે.”
મેં એક પુસ્તકમાં જોયું છે કે, આ પંચમકાળની વિષમતા જોઈ અજ્ઞાનીઓ તે ડરી જઈ પડી જાય છે, પણ જ્ઞાનીજનો તે તેમને જોઈ નવો વિચાર કરે છે. તેઓ કહે છે કે, “આ પંચમ આવે તે છે જ. આ પંચમ આરામાં વિષમતા હોય તો એમાં આશ્ચર્યની વાત શું છે! આ પંચમ આરાની વિષમતાથી બચવા માટે અમારે દઢ રહેવું જોઈએ.”
આ પ્રમાણે વિચાર કરી જ્ઞાનીજને તે વધારે દૃઢ થાય છે પણ અજ્ઞાની લેકે પંચમ આરાની વિષમતા જોઈ ઊલટા શિથિલ થઈ જાય છે. પણ વાસ્તવમાં આ પ્રકારના પતિત થતા લેકેને જઈ પ્રત્યેકે સાવધાન થવું જોઈએ.
કોઈ માણસ જ્યારે પત્થરની ઠેસથી નીચે પડે છે તે બીજે માણસ તેને પડતા જોઈ પિતે પણ નીચે પડે છે કે વધારે સાવધાન બને છે ? સાવધાન જ બને છે, અને તે એમ વિચારે છે કે આ માણસ પત્થરની ઠેસથી નીચે પડી ગયો તે મારે સાવધાન થઈ ચાલવું જોઈએ. આ જ પ્રમાણે સંયમમાં પણ બીજાને પડતા જોઈ પિતાએ સાવધાન બનવું જોઈએ.