Book Title: Jawahir Vyakhyan Sangraha Part 02 - Anathimuni and Sudarshan Charitra
Author(s): Jawahirlal Maharaj
Publisher: Mahavir Jain Gyanoday Society
View full book text
________________
શુદ ૩]
રાજકોટચાતુર્માસ અનાથી મનિને અધિકાર–૪૧ - હવે આ જ વાત હું શાસ્ત્રદ્વારા કહું છું. અનાથી મુનિ ઝવેરીની સમાન છે અને રાજા શ્રેણિક ઝવેરીના પુત્ર સમાન છે. શ્રેણિક રાજામાં જ્યાં સુધી અજ્ઞાન હતું ત્યાંસુધી તે તે મુનિને એમ કહેતા હતા કે, “તમે સંયમમાં કષ્ટ શા માટે સહ છે ? મારી સાથે ચાલો અને ભેગોને ઉપભોગ કરો. ” રાજાના આમ કહેવા છતાં પણ અનાથી મુનિને કઈ પ્રકારને ક્રેપ ન આવ્યો પણ તેમણે એમ જ કહ્યું કે, “એમાં તારે દોષ નથી, એ તે તારી અજ્ઞાનતાને જ દોષ છે. તું જરા અમારી સંગતિ કરે તે તને જણાશે કે, તું મારે નાથ બની શકે છે કે નહિ ?” જે પ્રમાણે તે ઝવેરી મિત્ર છોકરાને પોતાની દુકાને બેસાડી રત્નને પરીક્ષક બનાવી દીધે તે જ પ્રમાણે અનાથી મુનિએ પણ રાજાને પિતાની સ્થિતિ કહી સંભળાવી એ બતાવી આપ્યું કે, તું સનાથ છે કે અનાથ છે તેની પરીક્ષા તું પિતે જ કરી લે.
- અનાથી મુનિએ રાજાને કહ્યું કે, સનાથતા કે અનાથતા કાંઈ બહારથી આવતી નથી. પણ એ તે પિતાના આત્મા દ્વારા જ આવે છે. જે આત્મા સનાથ બનવા ચાહે તે સનાથતા મેળવી શકે છે અને અનાથ બનવા ચાહે તે અનાથતા મેળવી શકે છે. -
તમારા લેકેની પાસે ભલે રાજા શ્રેણિક જેટલી બાહ્ય સંપત્તિ ન હોય પણ આત્મા તે છે ને? તે પછી આત્માને અનાથ શા માટે બનાવે છે ? - અનાથી મુનિએ પિતાની સ્થિતિ સંભળાવી જે તે રાજાને બતાવ્યાં એ તમાં બધાં તને સંગ્રહ છે. તેઓ કહે છે કે, “હે ! રાજન ! સંસારમાં સુખ અને દુઃખ એ બે સ્થિતિ છે. ” આ પ્રમાણે કહી તેમણે સુખ અને દુઃખની જે પરાકાષ્ઠા માનવામાં આવે છે તેને સમુચ્ચયરૂપે નિર્દેશ કર્યો છે અને શેષને ગૌણ રૂપે નિર્દેશ કર્યો છે. જે પ્રમાણે બધા પદાર્થોમાં ચિન્તામણિને નંબર ઊંચે માનવામાં આવે છે અને ચિન્તામણિ કહેવાથી તેમાં બધાં પદાર્થોને સમાવેશ થઈ જાય છે, તે જ પ્રમાણે સુખ કે દુઃખમાં જે સુખ દુઃખને નંબર સૌથી ઊંચે માનવામાં આવે છે તેને પ્રધાનરૂપે ગ્રહણ કરી શેષ સુખ દુઃખને ગૌણું કરી દેવામાં આવે છે. કોઈ વાતના આદિ-અન્તને સમજવાથી આખી વાત સમજવામાં આવી જાય છે; તે જ પ્રમાણે મુનિએ પણ સુખ કે દુઃખમાં જે પ્રધાન રૂપે ગણવામાં આવે છે તે પ્રધાન વસ્તુમાં સુખદુઃખને સમાવેશ કરી લીધું છે.
દુઃખની અંતિમ સીમા રૂપે વૈતરણ નદી કે ફૂટશાલ્મલી વૃક્ષ માનવામાં આવે છે. દુઃખનાં આ બે જ મુખ્ય છેઠાં છે. આ જ પ્રમાણે સુખનાં કામધેનુ અને નંદનવન એ બે મુખ્ય છેડાં છે. કામધેનુ અર્થ ઇચ્છાનુસાર કામ થવું અને નંદનવનને અર્થ મનને આલ્હાદ મળવો એ છે. પ્રાચીન ગ્રન્થમાં નંદનવન અને કામધેનુની વાતે ઘણી વર્ણવવામાં આવી છે. જો કે, કોઈએ કામધેનુ ગાય કે નંદનવનને જોયાં નહિ હેય પણ દુનિયામાં એ બન્નેની વાતે બહુ પ્રચલિત છે. નંદનવન કે નંદનચૈત્યને મનના આલ્હાદનું કારણ માનવામાં આવ્યું છે. ચૈત્ય શબ્દનો અર્થ એ છે કે –
सुप्रसन्नमनहेतुत्वादिति चैत्य । અર્થાત–જે મનને આલ્પાદિત કરે તે ચૈત્ય છે, પછી ભલે તે બાગ હોય કે બીજું કાંઈ હેય. આ પ્રમાણે મુનિએ સુખ અને દુઃખમાં પ્રધાન મનાતી વસ્તુઓ કહી શેષ ગૌણરૂપે કહી છે.