Book Title: Jain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
- -
- -
-
-
- -
-
- વર્ષ ૧૦ અંક ૫-૬
તા. ૯-૯-૯૭ :
પાળતા હતા. આચાર્ય પ્રદ્યુમ્નસૂરિ પણ આ નવમી સઢીમાં જ થઈ ગયા. (“શ્રી પ્રભાવક 1 ચરિત્ર' નામના ગ્રંથમાં આ બધા ઉ૯લેખ છે.) એ પછી તેરમા સૈકામાં આચાર્ય { દેવેન્દ્રસૂરિ થઈ ગયા. એમણે “વંટારૂવૃત્તિ નામના ગ્રંથમાં સમેતશિખર પરના દેવાલયો અને જેન મૂર્તિઓની નોંધ કરી છે.
વિ. સં. ૧૩૪૫ માં શરણદેવ નામના શ્રેષ્ઠીના પુત્ર વીરચંદે પિતાના ભાઇ, પુરા, પૌત્રો વગેરે પરિવાર સાથે આચાર્ય પરમાનંદસૂરિના હસ્તે સમેતશિખર તીર્થમાં પ્રતિષ્ઠા કરાવી હતી. એવો ઉલ્લેખ ગુજરાતના અંબાજી પાસે અંબાજીથી હિંમતનગરના રસ્તે ( ૧ કિ. મી. દૂર આવેલા કુંભારિયા તીર્થમાંથી મળી આવે છે. (બિનજેને આ કુંભારિયા
જતા નથી પરંતુ ત્યાંનું શિલ્પ, સ્થાપત્ય વગેરે એવું અદભૂત છે કે–ઘડીભર આબુના દેલવાડાને પણ ભૂલાવી દે...એ બધું જોવા જેવું છે. એ સ્થાપત્યને સમજાવનાર અભ્યાસ “ગઈડ ન વાં અભાવ છે. ત્યાં ભેજનશાળા પણ છે પરંતુ એ ભેજનશાળામાં પણ છેતરપિંડી ચાલે છે. એ બધુ દૂર કરવાની જરૂર છે. ત્યાં આધુનિક પ્રકારની ધર્મશાળા છે પણ છે, પરંતુ એને વહીવટ પણ મનસ્વીપણે ચાલે છે. છતાં કુંભારિયાજી એના સ્થાપત્ય માટે જોવા જેવું છે. જો કે એ મંઢિરેમાંથી ઘણું બધું સ્થાપત્ય ચેરાઈ-લુંટાઈ ગએલું છે દેખાય છે. છતાં જે કંઈ બચ્યું છે એ અદ્દભૂત છે.)
વિ. સં. ૧૯૫૯માં જ્ઞાનકીતિ રચિત “શ્રી યશોધરચરિત્ર' ગ્રંથમાં ઉલેખ છે ? એ પ્રમાણે બિહારના ચંપાનગરી નજીકના અકબરપુર ગામના રાજા માનસિંહના પ્રધાન છે નાનુએ ત્યાં મંદિરનું નિર્માણ કરાવ્યું હતું.
વિ સં. ૧૬૭૦ માં આગ્રાના રહેવાસી એસવાલ શ્રેષ્ઠ કુંપાલ અને સેનપાલ લોઢાએ સંઘ લઈને સમેતશિખરની યાત્રા કરી હતી અને ત્યાંના છનાલને પુનરોદ્ધાર કરાવ્યો હતે એવો ઉલ્લેખ જ્યકતિ રચિત શ્રી સમેતશિખર રાસ'માં છે.
આમ.. સમેતશિખરનો ઇતિહાસ ઘણો જુને છે અને ત્યાં દેરીઓ, ચતરા, 5 સ્તુપે વગેરે થતા રહ્યા હતા પરંતુ વ્યવસ્થિત ઈતિહાસ ઉપલબ્ધ નથી.
ખરો રીતસર ઉલલેખ અકબરના વખતથી મળી છે. (ગુ. સ. તા. ૨૦-૮-૯૭) -આશ્લેષ શાહ
(ક્રમશ:)