Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 03
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh
View full book text
________________
૧૯
મહત્વનું સ્થાન પ્રાપ્ત કરશે અને તેમાંથી ઇચ્છિત પરિણામ, મેગ્ય વ્યવસ્થા અને પ્રયત્ન થયે, મેળવી શકાશે. '' - સેસાઇટીના કાર્યક્ષેત્રની મર્યાદાઓ છે અને ઉપલી સઘળી પ્રવૃત્તિઓને તે પહોંચી પણ શકે નહિ. એટલાં વિશાળ અને ભરપુર સાધને પણ
સાઈટી ધરાવતી નથી. તે પણ સાઈટી નવા જમાનાને અનુસરવા બનતે પ્રયત્ન કરી રહેલી છે તે એની છેલ્લાં પચ્ચીસ વર્ષમાં વિવિધ લોકોપકારી પ્રવૃત્તિઓ અને તેનાં પ્રકાશને પરથી માલુમ પડશે; તેમ તેના મુખ્ય કાર્ય કર્તાઓ દેશનાં સાર્વજનિક કાર્યોમાં, પૂર્વવત, યથાશક્તિ ફાળો આપતા રહ્યા છે, એ પણ જોવામાં આવશે.
. . - આપણે સૌ આ પ્રવૃત્તિઓની એટલા નજદિક છીએ કે તે વિષે અભિપ્રાય બાંધવામાં ભૂલ થવાને અથવા તો પક્ષપાત કે અતિક્તિથી દેરાઈ જવાનો, ભય રહેલો છે અને તેમ કરવું અમારા માટે ઉચિત પણ નથી. કારણ કે સન ૧૯૧૦ થી સાઈટીના તંત્રમાં અમે જોડાયેલા છીએ અને તેનાં કામકાજ અને વહિવટ માટે કેટલેક દરજે જવાબદાર પણ છીએ.
આ સંજોગમાં એસાઈટીના આ પચીસ વર્ષનાં કાર્ય વિષે અમારા તરફથી કાંઈપણ કહેવામાં આવે તેના કરતાં અન્ય કોઈ તટસ્થ વિવેચક સંસાઈટીની વિવિધ લોકપકારી પ્રવૃત્તિઓ અને તેની સાહિત્ય સેવા વિષે અભિપ્રાય આપે, એ અમે વધુ પસંદ કરીશું.