Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 03
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh
View full book text
________________
પરિશિષ્ટ ૧
મુંબઈ તા. ૨ જી જુન ૧૯૧૪
ધી ગુજરાત વર્નાકયુલર સેાસાઇટીના માનવ ત લાઇફ મેમ્બરો ભેગ વિ. વિ. સાથે આષતે તસ્દી આપવાની કે, આપની તરફનાં વિશેષ મતે આપે મને ગયા જુન માસમાં આપની સેાસાઈટીના પ્રમુખ નિમ્યા હતા, તેની મુક્ત આ માસની આખરે પૂરી થાય છે અને આપની જનરલ સભા તા. ર૯ મી જૂન, સામવારે ખેલાવવાનું નક્કી કર્યું છે, તેની રીતસર પત્રિકા આપને મળશે; દરમિયાન આપનામાંથી જેએ તે વખતે જાતે હાજર ના થઇ શકે, તેમની જાણને માટે હું નીચે લખેલી સૂચનાએ મેાકલાવું છું. આ પત્રમાં જે જે બાબત ઉપર આપના અભિપ્રાયની હું અભિલાષા રાખું છું તે સામે કોરી જગા રાખી છે તેમાં તે બાબતના પ્રત્યુત્તર લખી જણાવવાની કૃપા કરી મને ઉપકૃત કરશો. કારણ કે જે સૂચનાઓ કરી છે, તે જો આપને પસંદ પડે તો તે સંબધી સાસાઈટી રાવ કરે, એવી દરખાસ્ત કરવાના મારા વિચાર છે તેમાં આપની સૂચના અત્યંત મદદ કરતા થઇ પડે અને તેમ કરવા હું શક્તિમાનૢ થઇ શકું તે માટે જો આપને યોગ્ય લાગે તે, આ સાથેના પ્રેાકસીપત્ર ઉપર આપ આપની સહી કરી તથા એક આસામીની સાક્ષી કરાવી તે મારા તરફ આ સાથે માકલેલા બીડામાં પાછી મેાકલવા તસ્દી લેશે.
૧ મારી પ્રથમ સૂચના તેા એ છે, આપણી સંસ્થાની વ્યવસ્થા એનરરી સેક્રેટરીની મારફત થાય છે અને તેને મદદ કરવાને એક વ્યવસ્થાપક મિટી નીમાય છે. તે નીમણુંકા માત્ર એક જ વર્ષ માટે થાય છે, તેને બદલે અમુક મુદ્દત માટે, એટલે ત્રણ કે પાંચ તે માટે કરવામાં આવે તો તેમણે આરભેલાં કામ તે પૂરાં કરી શકે, એવી મારી સૂચના છે અને તે બાબત રજુ કરતાં અગાઉ આપતા અભિપ્રાય જાણવાની આવશ્યકતા છે.
૨ આપણી સાસાઇટીનું ફંડ જોઇએ તેટલું વધવા માંડયું છે અને હજુ વધે જશે એમાં શક નથી, તેમ આપણી સાસાઈટીને કેળવણીને લગતાં ઘણાં કુંડાના વહવટ કરવાની સંપરત દિનપર દિન થતી જાય છે. તેથી તેને માટે કાયમના ટ્રસ્ટીઓ નિમવાની મને આવશ્યકતા લાગે છે, કારણ કે જ્યાં સુધી તેવા ખાસ ટ્રસ્ટીએ આપણા તરફથી નિમાય નહીં, ત્યાં સુધી કાયદા પ્રમાણે વખતે વખતે જે વ્યવસ્થાપક