Book Title: Gujarat Varnacular Societyno Itihas Part 03
Author(s): Hiralal Tribhuvandas Parekh
Publisher: Hiralal Tribhuvandas Parekh
View full book text
________________
પ્રકરણ ૩
ઇતિહાસ-ગ્રંથ “Reflection on history must be accompanied, then, by reflection on all life, in order that we may hear and hearing understand, what Confucius calls the threefold thread of time:
Threefold is of time the tread, Lingering comes the future pacing hither; . Dart-like is the now gone thither, Stands the past age moveless, foot and head."
Hilda D. Oakelay. I (History & Progress ). છેલ્લાં પચીસ વર્ષમાં સોસાઈટીએ એકંદર ૧૫૭ પુસ્તક પ્રસિદ્ધ કર્યો. છે. તેમાં ઇતિહાસ ગ્રંથે મોટી સંખ્યામાં મળી આવે છે અને તે પુસ્તકે વિવિધ પ્રકારનાં તેમ ગુજરાતી વાચકોને રસ પડે અને આનંદ આપે એવાં છે. તેની પસંદગીમાં હિન્દુસ્તાનના ઈતિહાસને પ્રથમ સ્થાન મળેલું છે અને એ સઘળાં પુસ્તકે, અમારું નમ્રપણે માનવું છે કે, હિન્દના પ્રાચીન અને અર્વાચીન ઈતિહાસ વિષે વિશ્વસનીય તેમ સવિસ્તર વૃત્તાંત પૂરા પાડે છે.
પ્રાચીન ઐતિહાસિક પુસ્તકમાં દિલ્હણકૃત વિક્રમાંકદેવ ચરિત્ર એક મહતવનું પુસ્તક છે. એમાં દક્ષિણના સૈલુક્ય રાજાઓને ઇતિહાસ ગુંથેલે છે. સોસાઈટીએ તે પૂર્વે સોમેશ્વર રચિત “કીતિ કૌમુદી” જેમાં ગુજરાતના વાઘેલા વંશને ઇતિહાસ આલેખેલો છે, એ પુસ્તકને તરજુમે છપાવ્યું હતું. તેના પછી ઉપરેત પુસ્તકને ઉમેરે છે એ યૉગ્ય થયું હતું. દક્ષિણના ચાલુક્ય એ વિષય પર એક સ્વતંત્ર પ્રબંધ રા. બા. ગૌરીશંકર ઓઝાએ એ અરસામાં છપાવ્યો હતે. ઇતિહાસના રસિકે આ બંને પુસ્તક-વિક્રમાંકદેવ ચરિત્ર અને ચાલુક્યને ઈતિહાસ જોવા જેવો છે. .
. સદરહુ પુસ્તકને તેર વટસન મ્યુઝિયમને તે સમયના કયુરેટર સ્વર્ગસ્થ વલ્લભજી હરિદા આચાર્યો કરી આપ્યો હતો. ઇતિહાસ અને