________________
નવ ટૂકમાં દર્શન કરી પૂજા પછી છેલ્લે મોતીશા શેઠની ટૂકમાં થઈને, દાદાની ટૂકમાં સગાળ પોળ સુધી આવીએ છીએ. ત્યાં હનુમાન ધારની બાજુથી આગળ જતાં રામપોળ આવે છે. આ પછી આગળ જતાં વાઘણ પોળ આવે છે. અહીં પહેલાનાં વખતમાં એક વાઘણ હતી. આથી યાત્રાળુઓ આ રસ્તેથી જઈ શકતા નહિ, વીર વિક્રમશી નામના એક યુવાને વાધણ મારીને અને જાતે મરીને, યાત્રાનો આ રસ્તો, વાઘણથી નિર્ભય કર્યો હતો. તેની યાદગીરીમાં આ પોળ દરવાજાનું નામ વાઘણ પોળ પાડવામાં આવ્યું છે. વીર વિક્રમશીની શૂરવીરતાની પણ એક પ્રેરક કથા છે.
પાલિતાણામાં વીર વિક્રમશી નામે ભાવસાર જ્ઞાતિનો એક યુવાન તેના ભાઈ-ભાભીની સાથે રહેતો હતો.
એકવાર વીર વિક્રમશી કપડાં ધોઇને હાથમાં ધોકો અને કપડાં લઈને, બપોરના સમયે ઘરે આવ્યો. તેને ભૂખ લાગી હતી, પણ રસોઈ થઈ ન હતી. તેથી તેણે ભાભીને ગુસ્સામાં કહ્યું કે ‘તમે તો ઘરમાં હો છો અને બપોર થયા છતાં હજી રસોઈ પણ નથી કરી શકતાં ?' ભાભીને આથી ગુસ્સો આવ્યો અને વીર વિક્રમશીને કહ્યું કે હજી તો તમારા ભાઇ કમાય છે અને તમારે તો તાગડધિન્ના કરવા છે. બહુ બળિયા હો તો શ્રી શત્રુંજય ઉપ૨ વાઘને મારીને, યાત્રાળુઓનો માર્ગ ખુલ્લો કરાવો તો શૂરવીર જાણું ?, વીર વિક્રમશી પર આ ટાણાંની ઘણી અસર થઈ. ભાભીએ તેના મર્મસ્થળ પર પ્રહાર કર્યો હતો, તેના હાથમાં હતો તે ધોકો લઈને, પ્રતિજ્ઞા કરી ને તે નીકળી પડ્યો અને કહ્યું કે જ્યાં સુધી વાઘને ન મારું ત્યાં સુધી ઘરમાં પગ નહીં મૂકું.
તળેટીમાં આવીને, મિત્રોની વિદાય લીધી અને જતાં જતાં કહેતો ગયો કે વાઘને મારીને ઘંટ વગાડું તો જાણજો કે વાઘને મારી નાખ્યો છે, નહિંતર મને મરી ગયેલો જાણજો.
વીર વિકમશીએ ઉપર જઈને, વાઘને ખોળી કાઢ્યો. ત્યારે તે સૂતો
૧૪