________________
મનિયાર મઠથી એક કિલોમીટરના અંતરે લગભગ આઠ મીટરની સમચોરસ પત્થરની ફરતી દિવાલવાળો પાયાનો ભાગ મળી આવ્યો છે. આ ભાગને બિંબિસારની જેલ માનવામાં આવે છે. અહીં જ અજાતશત્રુએ તેના પિતા બિંબિસારને જેલમાં પૂર્યા હતા અને અહીંથી તેઓ ભગવાન બુદ્ધને વૃધફૂટ ટેકરી ઉપર જોઈ શકતા હતા. આ જગ્યાએથી કંઈક પત્થરની કોઠીઓ અને એક લોઢાની કડાઈ મળી આવી હતી. તેની એક બાજુ કુંડી હતી.
બિંબિસાર રાજાના વખતમાં જીવક નામે એક સૌથી પ્રખ્યાત વૈદ્ય હતા. તેઓ બિંબિસાર અને અજાતશત્રુના રાજ વૈદ્ય હતા. તેમનું એક આમ્રવન હતું. તેમણે આ વન ભગવાન બુદ્ધને સમર્પિત કરી, ત્યાં ભિક્ષુઓને રહેવા માટે વિહાર બાંધ્યો હતો. એમ કહેવાય છે કે એકવાર બુદ્ધના પિતરાઈ ભાઈ દેવદત્ત જે તેમનો વિરોધી હતો, તેણે એક મોટો પત્થર મારીને બુદ્ધને ઘાયલ કર્યા હતા. બુદ્ધને જીવન વિહાર લઈ જતાં પહેલાં અહીં લાવવામાં આવ્યા હતા અને જીવકે તેમની સારવાર કરી હતી. અહીં ત્યારે હરણનું અભયારણ્ય હતું.
ત્યારે તેનું મર્દકુચ્ચબ અર્થાત્ સંસ્કૃતમાં મદકણી (કોખની માલિશ) નામ હતું. આના પરથી એક કિંદનંતી છે કે બિંબસારની રાણીને ખ્યાલ હતો કે તેના પેટે પિતૃધાતક પુત્ર અવતરશે. એટલે તેમને બળપૂર્વક માલિશ કરાવી તે ગર્ભનો વિનાશ કરવાનો પ્રયત્ન કર્યો હતો.
આગળ જે ગૃધકૂટનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે અહીંના પર્વતમાં સૌથી ઊંચી ચોટી ઉપર છે. ભગવાન બુદ્ધનું આ પ્રિય સ્થાન હતું, અને અહીંયાથી તેમને ઘણા મહત્ત્વના અને ઉત્તમકોટિના ઉપદેશો આપ્યા હતા. ટોચની નજદીક નાની નાની ગુફાઓ હતી જેમાં ભિક્ષુકો રહેતા હતા. ભગવાન બુદ્ધના પટ્ટ શિષ્ય આનંદની ગુફા, ટોચની બાજુમાં જ છે. અહીં બે કુદરતી ગુફાઓ પણ છે. જેનો યુ-એન-સંગે ઉલ્લેખ કર્યો છે. એમાંની એક ગુફામાં માટીની તકતીઓ સહિત સાત ભૂતપૂર્વ બુદ્ધ અને એક આગામી બુદ્ધ મૈત્રેયની મૂર્તિઓ બે હરોળમાં છે. પ્રત્યેક મૂર્તિની નીચે બહુ બારીક શબ્દોમાં બુદ્ધધર્મનાં સૂત્રો અંક્તિ કરવામાં આવ્યાં છે. આ
SSSSSSS ૧૪૮ FSSSSS