________________
તીર્થ ઉપર છે એટલે ત્યાં પણ શાંતિનાથજીની પ્રતિમાને કેશ હોવાને કારણે કેસરિયાજીના નામથી ઉલ્લેખ કરવામાં આવે છે.
મંદિર ઘણું પ્રાચીન છે. એમ માનવામાં આવે છે કે મંદિર પ્રથમ ઈટોનું બનાવ્યું હતું અને ત્યારબાદ તેને પત્થરનું બનાવવામાં આવ્યું હતું. વિક્રમ સંવત ૧૪૩૧માં મંદિરનો જીર્ણોદ્ધાર થયાના પુરાવા મળી આવ્યા
હાલના રાજસ્થાનમાં જૈનોના ધણાં તીર્થો આવેલાં છે, પણ મેવાડના પ્રદેશમાં તો જૈનોનું આ એક મહત્ત્વનું અને મુખ્ય યાત્રા સ્થળ છે. મેવાડના રાણાઓ આ પ્રભુના અનુયાયી હતા અને ભક્તિ ભાવથી અહિં દર્શનાર્થે આવતા. રાણા ફતેસિંહજીએ તો એક રત્નજડિત સૂવર્ણમય આંગી પણ ભેટ આપી હતી, જેનો આજે પણ પ્રસંગોએ ઉપયોગ કરવામાં આવે છે.
કેસરિયાજીનું મંદિર બાવન જીનાલય મંદિર છે. દૂર દૂરથી એનાં શિખરો જોઈ શકાય છે. શિખરો, તોરણો, સ્તંભો વગેરે કલાત્મક રીતે બનાવેલાં હોઈ મનોહર અને આકર્ષક લાગે છે.
અહિં બે જૈન મંદિરો આવેલાં છે. એક મંદિર ૭૮ મીટર લાંબુ અને ૭૩ મીટર પહોળું છે. એમાં ચારે બાજુ ૪૬ છેતાલીસ દેરીઓ આવેલી છે. બધી જ દેરીઓમાં જૈન તીર્થકરોની પ્રતિમાઓ બિરાજમાન છે.
મંદિરના પ્રાંગણમાં પ્રાચીન સમયની શ્રી મરૂદેવી માતાની મૂર્તિ છે. અને શ્રી પાર્શ્વનાથ ભગવાનનું મંદિર છે.
મંદિરના નામનો અસલ ઈતિહાસ ગમે તે હોય પણ હાલ તો યાત્રાળુઓ કેસરિયાજી નામ ઉપરથી પ્રતિમા ઉપર કેસર ચઢાવે છે, અને કેસર ચઢાવવાની માનતા પણ માને છે.
જૈનોનું તો આ એક અતિ વિખ્યાત તીર્થધામ છે જ પણ આ બાજુ બીજી કોમના લોકો અને ખાસ કરીને ભીલો કેસરીયાજીને પોતાનું તીર્થધામ માની ધણાજ ભક્તિભાવથી તેમના દર્શનાર્થે આવે છે.
કેસરિયાજીનું મંદિર, અમદાવાદ - ઉદેપુર લાઈન પર ઋષભદેવ રોડ STS ૧૦૬ SS