________________
અભિષેક કરવા માટે બોલાવી અને શું ચમત્કાર થયો ! આટલું કાચલીમાં સમાય તેટલું દૂધ માથાથી ઠેઠ પગ સુધી પહોંચ્યું. ગુલુકાયજીની ભક્તિ સાચી છે તેમ સમજી ચામુંડરાયે શ્યામવર્ણી ગુલુકાયજીની હાથમાં કાચલી લઈને ઊભેલી એક પ્રતિમા એ ટેકરી પર સ્થાપિત કરી છે.
એક બીજી પણ પ્રચલિત કથા છે કે આ બાહુબલિજીની મહાકાય પ્રતિમાની રચના કરાવનાર રાજાને આવડી મોટી ભવ્ય પ્રતિમા બનાવડાવી તેનું અભિમાન થયું.તેમને થયું કે આવી પ્રતિમા કોણ બનાવી શકે? આ અભિમાનના વિચારમાં પ્રતિમાનો અભિષેક કરવામાં હજારો મણ દૂધ ઓછું પડવા માંડ્યું. હજારો મણ દૂધથી પ્રતિમાનો અભિષેક કરતાં પ્રતિમા પર દૂધનો સ્પર્શ થતો ન હતો. સર્વે આશ્ચર્યચકિત થયા અને ચિંતામાં પડ્યા. આચાર્યોને લાગ્યું કે વિધિમાં ક્યાંક ચૂક થઈ લાગે છે. એ સમયે બાહુબલિજીની એક પરમ ભક્ત ગુલુકાયજી નામની ભરવાડણ ત્યાં આવી ચડી. લોકોને ચિંતાતુર જોઈ તેને કારણ પૂછ્યું. ગુલુકાયે કારણ જાણ્યું અને તરત જ નાળિયેરની એક કાચલીમાં પોતાના સ્તનમાંથી દૂધ કાઢીને એમાં ભરી દીધું અને લોકોને આપતાં જણાવ્યું કે ભગવાન ગોમટેશ્વરનો આ દૂધથી અભિષેક કરો. લોકોએ આ કાચલીમાનું દૂધ બાહુબલિજીની મૂર્તિને ચડાવ્યું અને શું ચમત્કાર થયો ! આટલી કાચલીમાંના દૂધથી અભિષેક થયો અને બાહુબલિજીની મૂર્તિએ હજારો મણ દૂધનો અભિષેક સ્વીકાર્યો ? આ મહાકાય પ્રતિમા, એકલા જૈનધર્મીઓનો વારસો નથી. એ સમસ્ત માનવજાતિનો અમૂલ્ય વારસો છે એમ ગણાવી શકાય. એ શિલ્ફળાની મૂર્તિ માત્ર નથી, માનવ જાતિને ઉચ્ચ જીવન જીવવા માટેની પ્રેરણા આપતી મૂર્તિ છે. જીવનની મહાન સિદ્ધિ મેળવવા માટે ઉગ્ર તપ આચરતી એક મહાન યોદ્ધાની એ મૂર્તિ છે. ઉગ્ર તપ આચરતી એની શાંત મુખમુદ્રા, યોગી તપસ્વીઓની સિદ્ધિનો ખ્યાલ આપી જાય છે.
આ મૂર્તિને હજારેક વર્ષ થયાં. ચારે બાજુ અવકાશમાં બે હજાર ફૂટની ઊંચાઈએ તે ખુલ્લી હોવા છતાં, આબોહવાની અસર જૂજ થઈ છે. હજી SSSSSS ૧૧૫