________________
ઉલ્લેખ કરતાં લખ્યું હતું કે "આ મહાન અને પ્રાચીન પર્વતને જેમનો તેમ રહેવા દીધો છે તે જ યોગ્ય છે અને આપણે ઈચ્છીએ કે તે તેવોને તેવો જ રહે. જે આધુનિક સભ્યતાનો ત્યાં પ્રવેશ થવા દેવામાં આવશે તો જરૂર આપણને દિલગીર થવાનો વખત આવશે."
સંસ્કૃતના મહાકવિ માધે "શિશુપાલ વધ”માં ગિરનારની સ્તુતિ કરતાં લખ્યું છે કે:
દ્રષ્ટોપિ શૈલ : સમુહુર્મરાવેર પૂર્વવિદ વિસ્મય માત તાતુ ક્ષણે ક્ષણે યજાવ નામુપૈતિ તદેવ રૂ૫ રમણીયતાયા : "જાણે ન જોયો કદી હોય પૂર્વે વિસ્મિત મુરારી, શૈલ એમ નીરખે ક્ષણે જાણે નૂતનતા ઘરે જે તે
સ્વરૂપ સાચું રમણીયતાનું. ગિરનાર પર્વત સાથે કેટલાયે ઐતિહાસિક બનાવો જોડાયેલા છે. યુદ્ધમાં રા'ખેંગારની હત્યા કરીને, સિદ્ધરાજ રાણકદેવીનું હરણ કરી જાય છે, ત્યારે એ સતીએ ગિરનારને ઉપાલંભ આપ્યો હતો. એક કવિએ તેને કવિતા દ્વારા સુંદર શબ્દોમાં વર્ણવ્યો છે કે
ગોઝારા ગિરનાર વળામણ વેરીને કિયો ?
મરતા રા'ખેંગાર ખદેડી ખાંગો નવ થિયો ? નેમિનાથ રાજુલનું નામ પણ ગિરનાર સાથે જડાઈ ગયું છે. લગ્ન કરવા આવેલા નેમિનાથ, ભોજન માટે વધ કરવામાં આવનાર પશુઓનાં ભાંભરડા સાંભળીને લગ્ન કરવાના બદલે ત્યાગની દીક્ષા લે છે ત્યારે પ્રથમ તો રાજુલમતી તેમને સમજાવવા
૪૧ ૬
' '
' '
' '
,
'
,
,
'
'''
''
,
''