________________
સોળમા તીર્થંકરનું મંદિર હાલના મંદિરોમાં, અચળગઢની તળેટી પાસે એક નાની ટેકરી ૫ જૈનોના સોળમા તીર્થંકર શ્રી શાંતિનાથ ભગવાનનું મંદિર આવેલું છે. સૌથી વધારે પ્રાચીન મંદિર છે. તે શ્રી કુમારપાળ રાજાએ બંધાવ્યું હતું તે માનવામાં આવે છે. પહાડના ઊંચા શિખર પર જૈનોના પહેલા તીર્થંકર શ્રી આદિનાથ ભગવાનનું ચૌમુખી મંદિર છે. તે ઘણું પ્રખ્યાત છે. તેમ આદિનાથ તીર્થંકરની ૧૨૦ મણની ધાતુની પ્રતિમા છે. મૂળ નાયા આદિનાથ ભગવાનની બન્ને બાજુએ કાયોત્સર્ગસ્થ પ્રતિમાઓ છે. અહીં કુલ અઢાર પ્રતિમાઓ ધાતુની છે. તેનું વજન ૧૪૪૪ (ચૌદસો ચુવાંલીસ) મણ જેટલું માનવામાં આવે છે. આ પ્રતિમાઓની ચમકથી એમ લાગે છે કે તેમાં સોનાનો ભાગ વધુ હશે.
અર્વાચીન સમયમાં એક યોગીરાજ વિજ્યશાંતિ સૂરીશ્વરજી મહારાજ અહીં રહેતા હતા. એમ કહેવાય છે કે તેમને અહીંના જંગલોમાં ઘોર તપશ્ચર્યા કરી હતી અને અહીં જ તેમનો સ્વર્ગવાસ થયો હતો. આમ આ સ્થળ તેમની તપોભૂમિ અને સ્વર્ગભૂમિ ગણાય છે. આ સિવાય, અહીં બીજ જૈન મંદિરો છે. તે ઉપરાંત અહીં મંદાકિની કુંડ, ભર્તુહરિ અને ગોપીચંદની ગુફા, ભૃગુ આશ્રમ, તીર્થ વિજ્ય આશ્રમ વગેરે દર્શનીય સ્થળો છે. અહીંનું પ્રાકૃતિક સૌંદર્ય પણ મનમોહક છે, વિમળશાહ મંત્રીએ તો આ સ્થળને તેમનું નિવાસ સ્થાન બનાવ્યું હતું
નખી તળાવ નખી તળાવ એ આબુની સુંદરતામાં ઉમેરો કરે છે. નખીનો સામાન્ય અર્થ આંગળાના નખ એવો થાય છે, અને તેને નખની અણીથી ખોદવામાં આવ્યું હતું તેવી લોકોક્તિ છે.
કર્નલ ટોડે નખી સરોવર વિશે લખ્યું છે કે “રાઈન નદીના કિનારે અન્દરથી ઉપર, ત્રણ માઈલના અંતરે આવેલ સરોવરના પ્રતિરૂપ જેવું છે.” ફરગ્યુસને તેના વિશે લખ્યું છે કે “ઊંચી ટેકરીઓની વચમાં આબેહૂબ જગા પર આવેલ આવું રળિયામણું સ્થળ હિંદમાં બીજી કોઈ જગા ઉપર