________________ ચ્યવન કલ્યાણકનું પ્રાસંગિક પ્રવચન नारका अपि मोदन्ते, यस्य कल्याणपर्वसु / पवित्रं तस्य चारित्रं, को वा वर्णयितुं क्षमः / / અર્થ : “નારકો પણ જેમના કલ્યાણક પર્વ દિવસોમાં આનંદને અનુભવે છે તે તીર્થકરના પવિત્ર જીવનને વર્ણવવા માટે કોણ સમર્થ હોઈ શકે ? જે ચૌદ મહાસ્વપ્નો થકી નિજ માતને હરખાવતા, વળી ગર્ભમાંહી જ્ઞાનત્રયને ગોપવી અવધાતા; જે જન્મતાં પહેલા જ ચોસઠ ઈ જેને વંદતા, એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું. અનંત ઉપકારી તારક તીર્થંકર પરમાત્માનાં કલ્યાણકો વિશ્વમાત્રના જીવોને સુખ આપનારાં થાય છે. જગતના બીજા કોઈપણ જીવો એવા નથી કે જેનું ચ્યવન, જન્મ, દીક્ષા, કેવળજ્ઞાન અને નિર્વાણ જગતના જીવોને સુખ આપનારું બનતું હોય. તારક તીર્થંકર પરમાત્મા પૂર્વના ત્રીજા ભવમાં જીવમાત્રનો ઉદ્ધાર કરવાની ભાવનાથી જે તીર્થંકર નામકર્મની નિકાચના કરે છે, તેના પરિણામે તારક તીર્થંકર પરમાત્મા જ્યારે માતાના ઉદરમાં આવે છે, ત્યારે તેમની માતાને 14 મહાસ્વપ્નો આવે છે અને પરમાત્મા સ્વયં નિર્મળ મતિજ્ઞાન, નિર્મળ શ્રુતજ્ઞાન અને નિર્મળ વિ.સં. 2054 ચૈત્ર વદ-0)) -વિવા- તા. 26-4-98 ------- --------------- ચ્યવન કલ્યાણકનું પ્રાસંગિક પ્રવચન