Book Title: Anjanshalakana Rahasyo
Author(s): Vijaykirtiyashsuri
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 16
________________ ચ્યવન કલ્યાણકનું પ્રાસંગિક પ્રવચન नारका अपि मोदन्ते, यस्य कल्याणपर्वसु / पवित्रं तस्य चारित्रं, को वा वर्णयितुं क्षमः / / અર્થ : “નારકો પણ જેમના કલ્યાણક પર્વ દિવસોમાં આનંદને અનુભવે છે તે તીર્થકરના પવિત્ર જીવનને વર્ણવવા માટે કોણ સમર્થ હોઈ શકે ? જે ચૌદ મહાસ્વપ્નો થકી નિજ માતને હરખાવતા, વળી ગર્ભમાંહી જ્ઞાનત્રયને ગોપવી અવધાતા; જે જન્મતાં પહેલા જ ચોસઠ ઈ જેને વંદતા, એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું. અનંત ઉપકારી તારક તીર્થંકર પરમાત્માનાં કલ્યાણકો વિશ્વમાત્રના જીવોને સુખ આપનારાં થાય છે. જગતના બીજા કોઈપણ જીવો એવા નથી કે જેનું ચ્યવન, જન્મ, દીક્ષા, કેવળજ્ઞાન અને નિર્વાણ જગતના જીવોને સુખ આપનારું બનતું હોય. તારક તીર્થંકર પરમાત્મા પૂર્વના ત્રીજા ભવમાં જીવમાત્રનો ઉદ્ધાર કરવાની ભાવનાથી જે તીર્થંકર નામકર્મની નિકાચના કરે છે, તેના પરિણામે તારક તીર્થંકર પરમાત્મા જ્યારે માતાના ઉદરમાં આવે છે, ત્યારે તેમની માતાને 14 મહાસ્વપ્નો આવે છે અને પરમાત્મા સ્વયં નિર્મળ મતિજ્ઞાન, નિર્મળ શ્રુતજ્ઞાન અને નિર્મળ વિ.સં. 2054 ચૈત્ર વદ-0)) -વિવા- તા. 26-4-98 ------- --------------- ચ્યવન કલ્યાણકનું પ્રાસંગિક પ્રવચન

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150