________________ ભરાવવાની ભૂલ કરી દીધી. બધાં જ નગરવાસીઓ દેશવાસીએ સ્થળ-કાળ-વેળા બધું જ ભૂલી ગયાં. એક મને લીન થઈ ગયાં. પ્રભુના મહાભિનિષ્ક્રમણને જોવા! વરઘોડો આગળ વધ્યો. કાશી દેશની રાજધાની વારાણસી નગરીની બહાર આશ્રમપદ નામના ઉદ્યાનમાં વરઘોડો ઉતર્યો. અશોક વૃક્ષ તળે પ્રભુ પધાર્યા. આજે પ્રભુ સર્વ સંગનો પરિત્યાગ કરવાના હતા. રોજના પ્રસંગોમાં જેટલી હાજરી હોય છે, તેનાથી આજે વધારે હાજરી જોવા મળી. દીક્ષા જેવા પ્રસંગમાં તમારી હાજરી જોઈ અમને પણ આનંદ જરૂર થાય. આજે બીજું પણ એક કારણ છે અમારા આનંદનું ! પરમાત્માએ પ્રકાશેલા સર્વ જીવ હિતકારક-દીક્ષા માર્ગને આઠ આઠ દાયકા સુધી જાન હાથમાં લઈને સુરક્ષિતનિર્વિઘ્ન-નિષ્ફટક બનાવનાર અને દેશ- વિદેશમાં એ દીક્ષાધર્મનો અપ્રતિહત ડંકો વગડાવનાર અમારા-તમારા-આપણા સૌના પરમતારક ગુરુદેવ પરમપૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના આચાર્ય પદનો આજનો દિવસ છે. દીક્ષાધર્મની સુરક્ષા કાજે એમણે આ જ મુંબઈના આંગણે જે સંઘર્ષો વેક્યા હતા, જે અપમાનો-તિરસ્કારો ને ગાળો પ્રસન્નવદને સહ્યાં હતાં, જે કોર્ટ- કચેરીઓના ખટલાઓ વેઠ્યા હતા, એની આજે કદાચ ઘણા ખરાને કલ્પના નથી. 192930 ઈસ્વીસનું સાલમાં ચાર મહિનાના 120 દિવસ દરમ્યાન 100100 વિરોધી પત્રિકાઓ એમનાં વિરુદ્ધમાં બહાર પડી હતી. જોવી હોય તો આજે ય સંઘરેલી મોજુદ છે. એ બધાને પણ એ મહાપુરુષ કોઈપણ પ્રકારના આક્રોશ વિના પચાવી ગયા અને પરમાત્મા શ્રી મહાવીર દેવે દર્શાવેલા કલ્યાણકારી માર્ગને સૌને માટે સુલભ બનાવવાનો અડીખમ પ્રયત્ન કર્યો અને એમાં તેઓશ્રીએ અભુત સિદ્ધિ હાંસલ કરી કોઈને પણ એ માર્ગ પર ચાલવું દુર્લભ ન બને એનો પુરુષાર્થ આઠ-આઠ દાયકા સુધી અવિરત કર્યો અને એમાં પરાકાષ્ઠાની સિદ્ધિ હાંસલ કરી. જે વખતે એ મહાપુરુષે દીક્ષા લીધી, તે વખતે ગંધાર તીર્થમાં દીક્ષાવિધિ માટે પ્રભુને પધરાવવા નાણ કે ત્રિગડું પણ ન હતું. ત્રણ પાટલા પધરાવી તેના ઉપર ભગવાનને બિરાજમાન કરાયા હતા. એમનો વર્ષીદાનનો કોઈ વરઘોડો નીકળ્યો ન હતો, એમના માનપત્રના મેળાવડા પણ થયા ન હતા. દીક્ષાર્થી તરીકે આજે મહિનાઓ સુધી વાયણાંઓ જમવા જવાય છે, એ રીતે એમનાં કોઈ વાયણાંઓ પણ થયા ન અંજનશલાકાનાં રહસ્યો 48