________________ લોકાંતિક દેવોની વિનંતી સ્વીકારી પ્રભુ જ્યારે વાર્ષિક દાન દેવાનો પ્રારંભ કર્યો. રોજનું એક કરોડ ને આઠ લાખ તો સોનૈયાનું દાન. એક વર્ષમાં 388 કરોડ 80 લાખ સોનૈયાનું દાન આપે. જેમને જેમને એ દાન મળ્યું, એના દેદાર બદલાઈ ગયા. નિર્ધન પણ ધની બની ગયા. કેટલાય તો એવા હતા કે દાનમાં મળેલાં વસ્ત્ર, અલંકાર પહેરીને પોતાના ઘરના બારણે ઊભા રહ્યા તો એમની પત્નીઓએ એમને ઓળખ્યા જ નહિ. પેલા સોગંધ ખાઈને કહે ત્યારે માંડ ઓળખી ઘરમાં લીધા. સ્તવનમાં વર્ણન આવે છે કે, તસ ઘર ન ઓળખે ના તો... સમ દીએ વળી વળીએ... દ્રવ્ય દારિદ્રય તો જગતનું પરમાત્માએ ફેડ્યું છે પણ હવે ભાવ દારિત્ર્ય ફેડવાનો અવસર આવ્યો હતો. શ્રી પાર્શ્વનાથ પ્રભુ માટે તો તેઓશ્રીના પિતાએ અને ભાઈ હસ્તિસેને દીક્ષા માટેની અદ્ભુત તૈયારીઓ કરી. ઈન્દ્ર દેવી સામગ્રીનો એમાં સમાવેશ કર્યો. બધી જ સામગ્રી અલૌકિક બની ગઈ. ભગવાન શ્રી મહાવીર પરમાત્માના દીક્ષા કલ્યાણકનું વર્ણન કલ્પસૂત્રમાં આવે છે. અદ્ભુત-અદ્ભુત કહી શકાય એવું એ પ્રાસાદિક છે, સાહિત્યપૂર્ણ છે, લલિત છે. છતાં ય વાસ્તવિક છે અને એથી જ હૈયાને હલબલાવી નાંખે તેવું છે. પ્રભુ જ્યારે દીક્ષા માટે પ્રયાણ કરે છે ત્યારે હવે પ્રભુના આ છેલ્લાં દર્શન હતાં એમ બધા જ વિચારી રહ્યા હતા. હવે ફરી આ નેત્રોને પ્રભુનાં દર્શન ક્યારે થશે ? એની જ ચિંતા સૌના કાળજાને કોરી ખાઈ રહી છે. કવિ આગળ વધે છે - नयणमाला सहस्सेहिं... વય માતા સદસેટિં... अंगुलिमाला सहस्सेहिं... અર્થ : “હજારો નયણોથી નીરખાતા પરમાત્મા જઈ રહ્યા છે. હજારો જીભોથી ખવાતા પરમાત્મા પ્રયાણ કરી રહ્યા છે. હજારો આંગળીઓથી દર્શાવાતા પરમાત્મા ગતિ કરી રહ્યા છે.” ગામની બહેનોનાં હૈયાં હાથમાં રહેતા નથી. મગજ કામ કરતું નથી. ગાલે લગાડવાનો અંગરાગ કોઈએ આંખમાં આંજી દીધો, તો આંખે આંજવાનું અંજન ગાલે ચોપડી દીધું. જવાની ઉતાવળમાં છોકરાને કેડમાં લેવાના બદલે કોક સ્ત્રીએ બિલાડીના બચ્ચાંને જ તેડી લીધું. તો કુવામાંથી પાણી કાઢવાની ઉતાવળમાં રહેલી કોઈ સ્ત્રીએ ઘડાના ગળામાં દોરડું ભરાવવાના બદલે છોકરાના ગળામાં જ દોરડું દીક્ષા કલ્યાણક