Book Title: Anjanshalakana Rahasyo
Author(s): Vijaykirtiyashsuri
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 141
________________ नीरन्ध्र दर्शनाद्यं, शिवमशिवहरं, छिन्नसंसारपाशं, चित्ते संचिन्तयामि, प्रकटमविकटं, मुक्तिकान्तासुकान्तम् / / 1 / / સર્વ પ્રકારના અપાયોના નાશથી પ્રાપ્ત કર્યું છે નિર્મળ કેવળજ્ઞાન જેમણે, પરમાનંદને પામેલા, યોગીન્દ્રો માટે ધ્યેય સ્વરૂપ, અગ્રસ્થાનને પામેલા, ત્રણ ભુવનથી પૂજાયેલા, આત્માના વાસ્તવિક સ્વરૂપને પામેલા, આશ્રવદ્વારોનો વિરોધ કરનારા, સમ્યગ્દર્શનાદિ ગુણોથી યુક્ત, કલ્યાણરૂપ, અકલ્યાણને દૂર કરનાર, સંસારના બંધનથી મુક્ત થયેલા, પ્રગટ અને સૌમ્ય મોક્ષરૂપી કન્યાના સુંદર ભરથારને હું મનમાં સમ્યક્ પ્રકારે ચિતવું છું. इत्थं सिद्धं प्रसिद्धं, सुरनरमहितं, द्रव्यभावद्विकर्मपर्यायध्वंसलब्धा-ऽक्षयपुरविलसद्-राज्यमानन्दरूपम् / ध्यायेद्विध्यातकर्मा, सकलमविकलं सौख्यमाप्यैहिकं सद्ब्रह्मोपैति प्रमोदा-दसमसुखमयं, शाश्वतं हेलयैव / / 2 / / આ રીતે પ્રકૃષ્ટ સિદ્ધ થયેલા, દેવો અને મનુષ્યોથી પૂજાયેલા, દ્રવ્ય અને ભાવરૂપી બે કર્મોના પર્યાયોના નાશથી પ્રાપ્ત કર્યું છે મોક્ષનગરીનું શોભતું રાજ્ય જેમણે અને આનંદના સમૂહ એવા સિદ્ધોનું ધ્યાન, નાશ કર્યા છે કે જેમણે એવા તીર્થકર કરે છે અને આ લોક સંબંધી સુખને મેળવીને સંપૂર્ણ અને ખામી વગરના અનુપમ એવા શાશ્વત સબ્રહ્મને સહેલાઈથી જ મેળવે છે. શાશ્વત-પ્રતિષ્ઠા जह सिद्धाण पइट्ठा, तिलोयचूडामणिम्मि सिद्धिपए / आचंदसूरियं तह, होउ इमा सुप्पइट्ठ त्ति / / 1 / / જેમ ત્રણે લોકમાં ચૂડામણિ સમાન સિદ્ધશિલામાં સિદ્ધોની પ્રતિષ્ઠા છે તેમ, જ્યાં સુધી સૂર્ય અને ચંદ્ર છે ત્યાં સુધી આ પ્રતિષ્ઠા શાશ્વત બનો. जह सग्गस्स पइट्ठा, समत्थलोयस्स मज्झयारम्मि / आचंदसूरियं तह, होउ इमा सुप्पइट्ठत्ति / / 2 / / 127 અંજનશલાકાનાં રહસ્યો

Loading...

Page Navigation
1 ... 139 140 141 142 143 144 145 146 147 148 149 150