Book Title: Anjanshalakana Rahasyo
Author(s): Vijaykirtiyashsuri
Publisher: Sanmarg Prakashan
View full book text
________________ શરણાઈ સૂર, ઢોલ વગડાવો, સોહાગણ નારી સંગ મંગળ ગવડાવો, નાચો સહુ ઉમંગે, આ મંગલ પ્રસંગે, રાજા મહારાજા તારા ચરણે નમે છે, રાજા બને છે... દીક્ષા-હિતશિક્ષા (તર્જ તુઝે સૂરજ કહું યા ચંદા) હે નયનાનંદ દુલારા, આજ જાગ્યા ભાગ્ય અમારા, તેં માર્ગ ધર્યો છે પાવન, જે હોજો જય જયકારા, તેં માર્ગ... તું સંયમ પંથે ચાલ્યો, તારી વસમી વિદાય લાગે, માયાનું પિંજર તોડી, તારું આતમ પંખી જાગે, તારું સદાયે મંગલ હો, એ અંતરના ઉદ્ગારા, તેં માર્ગ... કુળદીપક થઈને આજે, આ કુળને તેં અજવાળ્યું, છોડી માયા ને મમતા, પણ લીધું હતું તે પાળ્યું, તું સૂરજ થઈને ઝળકે, હો પૂર્ણ મનોરથ તારા, તેં માર્ગ... અપ્રમત્ત થઈને રહેજે, તું સાધના એવી કરજે, અષ્ટ કર્મોને કાપી, તું કેવલ રત્નને ધરજે, સહુ વિદન વિલય પામો, વરજે મુક્તિ વરમાળા, તે માર્ગ... દીક્ષા વિદાય (તર્જ : કહ દો કોઈ ન કરે કમ સે પ્યાર) હવે લે છે છેલ્લી વિદાય, હવે લે છે છેલ્લી વિદાય, કોડી કંચન ને ઘન, છોડી સ્નેહી સ્વજન, પ્રભુ સંયમ પંથે જાય... હવે... સ્મૃતિમંદિર અંજન ગીત ગુંજન 131

Page Navigation
1 ... 144 145 146 147 148 149 150