________________ વાચક જણ કહે ઢીલની મુઝ મન ન ગમે ટેવ હો આ આપની મોડું કરવાની રીત મને જરાય ગમતી નથી. બીજે કહ્યું કે, પ્રભુ તમે મહાન કે હું મહાન ? એ નક્કી કરી લઈએ. હું આવડો નાનો છતાં મોટા એવા પણ તમને દિલમાં સમાવી શકું છું અને તમે તો વિભુ કહેવા છતાં પણ નાના એવા મને મનમાં ધરી શકતા નથી. લવું પ૭ હું તુજ મન નવ માવું, જગગુરુ તુમને દિલમાં લાવું રે... જૈન શાસ્ત્રકારો જે પ્રીતિ, ભક્તિ, વચન અને અસંગની વાત કરે છે, એ તમામ અનુષ્ઠાનોના ભાવ એમણે એમનાં સ્તવનોમાં ઠાલવ્યાં છે. અસંગ અનુષ્ઠાનની વાત કેવી સરસ મૂકી છે. “હમ મગન ભએ પ્રભુ ધ્યાનમેં...” ‘જિન હિ પાયા તિન હિ છિયાયા, ન કહે કોઉ કે કાન મેં; તાલી લાગી જબ અનુભવ કી, તબ સમઝે એક સાન મેં...” જગજીવન જગવાલહોર્મમાં બધી રીતે ભગવાનના દેહનું વર્ણન કરી દીધું. આંખનાં, હાથ પગની રેખાનાં, લક્ષણોના અને રૂપના બધા ભાવો વ્યક્ત કરી દીધાં. માને પૂછો, દીકરાની કેવી કેવી વાતો કરે ? દસ વાર નામ લે તોય ચેન ન પડે બસ આ પણ એવી જ ભક્તિ છે. જેનું પરમાત્મા સાથે જોડાણ થઈ જાય તેની બધી વાત કોઈ જૂદી હોય છે. મારા ગુરુદેવની જ વાત કરું. 25-25 વર્ષ સુધી એકધારી રીતે પાસે રહીને અમને જાણવા-માણવા મળી છે એમની ગુણગરીમા. એ મારા જીવનનું એક મહત્તમ સૌભાગ્ય છે. પુણ્ય એમનું પરાકાષ્ઠાનું, વિદ્વત્તા પરાકાષ્ઠાની. છાતી વજની કે કોઈ પણ આવી પીગળાવી ન શકે. મનોબળ દૃઢ એવું કે દુનિયાને ધ્રુજાવી શકે. છતાં પરમાત્મા સામે ચાર વર્ષનું નાનું બાળક જોઈ લો. સાધનાની સિદ્ધિને વરેલા મહાત્મા પણ પરમાત્માની આગળ કેવા બાળક બનીને રહે તેની ખબર એમને જોવાથી પડે. જગતના મસ્તકે બેસવાનું સૌભાગ્ય જેને સાંપડ્યું હોય તે માન મૂકીને પરમાત્મા સામે સાવ બાળક બની પરમાત્માના ચરણોમાં બેસી જાય એ નાનીસૂની વાત નથી. સભામાં દસ હજાર માણસો જેમને સાંભળવા આવતા હોય, મોટા ભાગના વિરોધ કરવા જ આવેલા હોય છતાં જેમના પેટનું પાણી ય હાલતું નહિ, એવા પ્રસંગો ઉદ્ભવતા કે લોકોને લાગતું કે હસ્તી મટી જ ગઈ સમજો. હતા ન હતા થઈ જશે, પણ એમના પુણ્ય પ્રભાવથી એમની સુવિશુદ્ધ પ્રરૂપણાથી, એમની 72 અંજનશલાકાનાં રહસ્યો