________________ પરમાનંદનું બીજ પરમાત્મભક્તિ सारमेतन्मया लब्धं, श्रुताब्धेरवगाहनात् / भक्तिर्भागवती बीजं, परमानन्दसम्पदाम् / / અર્થ : ‘શ્રુતસાગરમાં ઉંડી ડૂબકી માર્યા બાદ મને તેનો સાર મળ્યો છે કે - શ્રી જિનેશ્વર ભગવાનની ભક્તિ એ પરમાનંદ અનંત ઉપકારી, ચરમતીર્થપતિ, શ્રમણ ભગવાન શ્રી મહાવીર પરમાત્માના શાસનના પરમાર્થને પામેલા શાસ્ત્રકાર પરમર્ષિ ન્યાયાચાર્ય ન્યાયવિશારદ્ મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજાએ આત્મસાધનામાં અત્યંત ઉપકારક બની શકે તેવા અગણિત ગ્રંથોની રચના કરીને આત્મહિતના અર્થીઓ ઉપર અગણિત ઉપકાર કર્યો છે. તે પૈકીનો જ એક મહત્ત્વનો ગ્રંથ દ્વાત્રિશત્ કાત્રિશિકા' છે. ગુજરાતી ભાષામાં જેને ‘બત્રીસ-બત્રીશી' કહેવાય છે. 32 શ્લોકનું 1 પ્રકરણ તેવાં 32 પ્રકરણોની રચના દ્વારા આ મહાપુરુષે આ ગ્રંથ બનાવ્યો છે. જે પૈકી જિનમહત્ત્વ' નામની બત્રીશીમાં “ભગવાન અને ભગવાનની ભક્તિનું મહત્ત્વ શું છે ?' તેનું ધ્યાન આપીને આપણા ઉપર મહાન ઉપકાર કર્યો છે. શ્લોક નાનો છો, શબ્દો અલ્પ છે, પણ તેનો મર્મ તેમના જ્ઞાનની ગરિમાને વ્યક્ત કરે છે. એ મહાપુરુષે કહ્યું છે કે, “મારા સમગ્ર જીવનકાળમાં જ્યારથી શ્રુતની ઉપાસના પરમાનંદનું બીજ પરમાત્મભક્તિ 101