Book Title: Anjanshalakana Rahasyo
Author(s): Vijaykirtiyashsuri
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 65
________________ અનેકવાર એમણે ખેડ કરેલી હતી. ગાંધીજીના કહેવાથી ખાદીનો રાષ્ટ્રમાં પ્રચારપ્રસાર કરવામાં એ અગ્રેસર હતા. નહેરુજીના કહેવાથી વિલેજ અપલિફ્ટમેન્ટ પ્રોગ્રામના એ આગેવાન બન્યા હતા. સુખથી ભર્યું ભર્યું એમનું જીવન હતું. દિવસમાં ત્રણ વાર બરફ ઘસીને ઠંડા પાણીથી નહાવાના એ શોખીન હતા. છતાં પૂર્વ પુણ્યથી એકવાર પૂજ્યશ્રીના પરિચયમાં આવ્યા બાદ ધર્મના રંગે પણ રંગાયા હતા. એ પુણ્યાત્માએ સુરેન્દ્રનગરની અંજનશલાકામાં પૂજ્યશ્રીના હાથે થતો લોચ જોતાં જ સંવેગના ભાવમાં ભરતી આવી અને ત્યાં ને ત્યાં એક નાના બાળકની જેમ તેઓ ચોધાર આંસુએ રડી પડ્યા. 71 વર્ષની એમની એ વખતે ઉંમર હતી. છેવટે 72 વર્ષની વયે ભીલડીયા મુકામે અંજનશલાકા મહોત્સવમાં જ પરમતારક ગુરુદેવશ્રીજીના હાથે સંયમ મેળવવા એ ભાગ્યશાલી રહ્યા અને આજે ૯૦ની ઉંમરે પણ મુનિરાજ શ્રીપુણ્યદર્શનવિજયજી મ.ના નામે ઉત્તમ પ્રકારે સંયમની આરાધના કરી રહ્યા છે. આ વાત કરવાનું કારણ કે આવા પ્રસંગો અનેક આત્માઓ માટે સમ્યગ્દર્શન-બોધિબીજનું પ્રબળ કારણ બને છે. ભાવ વધી જાય તો યાવતું તીર્થકર નામકર્મની પ્રાપ્તિનું ય કારણ બની જાય છે. માટે જ કહ્યું છે કે આ પ્રસંગ એ કાંઈ નાટક ચટક કે ભવાઈના ખેલ નથી. કુતૂહલ પોસવાનાં આ સાધનો નથી. આત્માને પરમાત્મ ભાવથી ભાવિત કરી ધર્મયોગમાં આગળ વધી જવાની આ મંગળ ક્રિયાઓ છે. આ પ્રસંગે પરમાત્મા વસ્ત્ર, અલંકાર, સ્વજનાદિકનો ત્યાગ કરે છે. તે તો દ્રવ્યત્યાગ છે. પણ સાથોસાથ મનમાંથી એ તમામ ચીજો તરફના રાગ-દ્વેષનો પણ ત્યાગ કરે છે, જે ભાવત્યાગ છે. તેની જ ખરી કિંમત છે. દ્રવ્યત્યાગ પણ ભાવત્યાગનું કારણ બને છે. માટે તે દ્રવ્યત્યાગની પણ એટલી જ કિંમત છે. પરમાત્માએ દીક્ષા ગ્રહણ કરી. ઘર-વિસામાનો ત્યાગ કર્યો. ખરા અર્થમાં પરમાત્મા બંધનરહિત-સંગરહિત બન્યા. આજ સુધી પરમાત્મા રાજમહેલમાં હતા, એટલે ગરમી જોઈ નથી. ઠંડી વેઠી નથી, સુખડના ઘરમાં રહ્યા છે. દેવી સાનિધ્યથી સતત હુંફાળી શીતળતાનો જ અનુભવ કર્યો હતો. પણ દીક્ષા લીધી ત્યારથી જ પરિષહોની સેનાને આમંત્રણ આપ્યું. ‘આવી જાવ ! જે લેણું હોય તે ચૂકતે કરી જાવ.' પ્રતિકૂળતા બધી વેઠીને અશાતા વેદનીયાદિ બધાનું દેણું ચૂકતે કર્યું. આ શાહુકારની પેઢી હતી. કાલે આવજો, પછી આવજો' એ વાત અહીં હતી નહિ. ‘અભી ! હાલ' ચૂકતે કર્યું. એ દુઃખની વણઝારો સહીને પણ એમનું મોઢું મલકાતું 50 અંજનશલાકાનાં રહસ્યો

Loading...

Page Navigation
1 ... 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150