________________ પ્રભુનો સ્નાટોત્સવ जिण - जम्मसमये, मेरुसिहरे रयणकणयकलसेहिं / देवासुरेहिं एहविओ, ते धन्ना जेहिं दिट्ठोऽसि / / અર્થ : “જિનેશ્વરોના જન્મ સમયે મેરુશિખર ઉપર રત્ન અને સુવર્ણના કળશો વડે દેવો અને અસુરોથી પ્રભુનો અભિષેક કરાયો તેને જેમણે જોયો તે ધન્ય છે.' જે જન્મ સમયે મેહુગિરિની સ્વરંગી ટોચ પર, લઈ જઈ તમોને દેવ ને દાનવ ગો ભાવે સભા; ક્રોડો કનક કળશો વડે કરતા મહા-અભિષેકને ત્યારે તમોને જેમ જોયા હશે તે ધન્ય છે. પ્રભુના જન્મોત્સવનું વર્ણન ત્રિષષ્ટિકાર મહર્ષિએ ખૂબ જ રોચક શબ્દોમાં કર્યું છે. ક્યારેક સમય કાઢીને એ વર્ણન વાચવા જેવું છે. હૈયાના ખૂણે ખૂણે જિનભક્તિ વસેલી હોય એવા ઈન્દ્રો અને સમ્યગ્દષ્ટિ દેવી-દેવતાઓ કેવા કેવા પ્રકારે ભક્તિ કરે છે, તેનો આછેરો નિર્દેશ એના વાચનથી જાણવા-સમજવા મળે છે. છપ્પન્ન દિકુમારિકાઓના ભક્તિ કાર્યની સમાપ્તિ થતાં જ ઈન્દ્રોના સિંહાસનો ડોલાયમાન થાય છે. ત્યાર બાદ ઈન્દ્રનો કોપ, હરિëગમેથી દેવ સાથે થતો સંવાદ, ઈન્દ્રનો અવધિજ્ઞાનનો ઉપયોગ, પ્રભુના જન્મનો ખ્યાલ આવતાં જ ક્રોધની ઉપશાંતિ, પ્રભુની ક્ષમાયાચના, શક્રસ્તવાદિથી વંદના બ્રહ્માંડ ભરાઈ જાય તેવો શાશ્વત ઘંટાઓનો નાદ શ્રી હરિપૈગમેષી દેવ દ્વારા દેવલોકમાં કરાય છે અને ભક્તિ -- -- -- -- -- -- -- -- -- પ્રભુનો સ્નાત્રોત્સવ