Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
जाव पन्भिईण' सयस कुडुबस्स बहसु कज्जेसु य कारणेसुय, कुडुबेसु य, मंतेसुय, गुज्झे रहस्से निच्छए ववहारेसुय, आपुच्छणिज्जे पडिपुच्छणिज्जे, मेढीपमाणे બાહારે કાઢવો) રાજગૃહ નગરમા હું ઘણા એશ્વર્યશાળી, તલવર, માડુંબિક, કૌટુંબિક, ઇભ્ય, શ્રેષ્ઠી, સેનાપતિ, સાર્થવાહ વગેરેના તેમજ પિતાના કુટુંબનાં જ ખાસ કામમાં, કાના સાધન ભૂત કારણમાં સગાં વહાલાંના કર્તવ્યના નિશ્ચય માટે ની ગુપ્ત મંત્રણાઓમાં છુપાવવા યોગ્ય લજજાથી સંબંધિત ગેપનીય કાર્યોમાં-પ્રચ્છન્ન વ્યવહારોમાં–પૂર્ણ નીર્ણયોમાં, સગાં સંબંધીઓ વડે આચારથી વિરુદ્ધ અનાચરણીય કરવામાં આવેલા કાર્યો માટે ની પ્રાયશ્ચિત્ત વિધિમાં-એટલે કે આ બધી સામાજિક રાજનીતિક અને ધાર્મિક બાબતમાં બધા મને પૂછે છે. બધા માણસે મારી સલાહ લે છે. આ બધા લેકે માટે હું મેલી રૂપ છું, પ્રમાણુ રૂપ છું. અનાજ વગેરેની હાલણ માટે બળદે જે થાંભલાને બાંધવામાં આવે છે. તેનું નામ મેધી છે. મેધી જેમ પશુઓને માટે ખાસ કેન્દ્રરૂપમાં રહેલે આધાર હોય છે તેમજ તે પણ બધાને માટે મેથી રૂપ હત પ્રત્યક્ષ વગેરે પ્રમાણે જેમ વસ્તુના તત્વને બતાવનારા હોય છે તેમજ ધન્યસાર્થવાહ પણ બધાને દરેકે દરેક વસ્તુનું સાચું સ્વરૂપ સમજાવતો હતો. તેથી તેને પ્રમાણ કહ્યો છે. કુટુંબને હું જ આશરો છું. હું જ ઉંડા ખાડામાં પડેલા માણસને દેરીની જેમ ઉદ્ધારક છું એથી હું તેમના માટે અવલંબન (આધાર) રૂપ છું. ચક્ષુ જેમ સામેની વસ્તુને પ્રકાશિત કરે છે. તેમજ તે પણ સલાહ માટે આવેલા માણસોને વસ્તુના સાચા રહસ્યથી વાકેફ કરતો હતો. એટલા માટે જ (જમેરીમા જાવ સરવડાવવા) મેધિ પ્રમાણે આધાર આલંબન અને ચક્ષુ આ પદની સાથે સૂત્રકાર એ જ વાતને વધારે સ્પષ્ટ કરવા માટે ઉપમા વાચક “ભૂત” શબ્દનો પ્રયોગ કરતાં કહે છે કે ધન્ય સાર્થવાહ બધાને માટે મેધિભૂત હતું, પ્રમાણ ભૂત હતા, આધાર ભૂત હતો, આલંબન ભૂત હતું અને ચક્ષુ ભૂત હતે. એથી અહીં પુનરુક્તિ રૂપ દેષ ઉદ્ભવવાની શકયતાથી ઉભી થતી નથી. કેમકે પૂર્વ કથનમાં જ તેને મેઘિ વગેરે રૂપ બનાવવામાં આવ્યો છે અને આ વર્ણનમાં પણ તેને તે પ્રમાણે જ વર્ણવવામાં આવ્યું છે. આ રીતે પુનરુક્તિ દોષનું નિવારણ પણ થઈ જ ગયું કહેવાય. ધન્ય સાર્થવાહ બધા ઈશ્વર વગેરે લોકોના બધા કામેને પાર પમાડનાર હતું. એથી જ તેને “સર્વ કાર્ય વહેંક” કહેવામાં આવ્યું છે. આ પ્રમાણે ધન્ય સાર્થવાહ પિતાની મેળે આ બધી વાને વિષે વિચાર કરતો આગળ આમ વિચારે છે કે (વં णज्जइ जं मए गय सिवा चुयंसिवा मयंसिवा भग्गंसिवा, लुग्गंसिवा, सडियासिवा,
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર: ૦૨