Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
થયેલાં દાવદ્રવ વૃક્ષે જે સ્થિતિમાં જ સવિશેષ શોભા યુક્ત થઈને લીલાંછમ દેખાતાં હતાં. પણ તેમાં જે દાવદ્રવ વૃક્ષો જીર્ણ હતાં-જૂનાં હતાં–શીર્ણસડી ગયેલાં હતા, જેના મૂળ અને થડને ભાગ લે થઈ ગયે હતું અને જેઓના પીળા અને સફેદ થઈને પાંદડાઓ, પુપ અને ફળ પરિશટિત થઈને ખરી પડયાં હતાં. તે તે સુકાઈ ગયેલા વૃક્ષોની જેમ લાન-શોભા રહિત થઈને ઊભાં હતાં.
(एवामेव समणाउमो ! जो अम्हं निग्गंथो वा निग्गंथी वा पन्नाइए समाणे बहूणं अण्णउत्थियाणं बहूणं गिहत्थाणं सम्म सहइ बहूणं समणाणं ४ वो सम्म सहइ एसणं मए पुरिसे देसाराहए पन्नते)
આ પ્રમાણે જ છે આયુષ્મત શ્રમણ ! જે અમારા નિગ્રંથ સાધુજન અથવા સાધ્વીજન દીક્ષિત થઈને ઘણું શ્રમણ અને ઘણી શ્રમણીઓ, ઘણા શ્રાવકે અને ઘણી શ્રાવિકાઓના કર્કશ, કઠેર વચને વગેરે ઉપસર્ગોને મધ્યસ્થ ભાવથી સહન કરે છે, તે વચનોને સાંભળીને જેને મે વગેરે અંગે ઉપર કોઈ પણ વિકાર સરએ થતું નથી, ક્રોધ ઉત્પન્ન થતો નથી, અદીન ભાવથી જે તેને ખમતે રહે છે–સહન કરતે રહે છે, નિર્જરાની ભાવનાથી જે તેઓને પિતાના અંતરથી સહન કરી લે છે, તેમજ કુતીર્થિ કોના ગૃહસ્થને પ્રતિકૂળ વચનોને જે સહન કરી શકતો નથી યાવત તેઓને અધ્યાસિત કરતે નથી એવા માણસને મેં દેશ-વિરાધક તરીકે પ્રજ્ઞપ્ત કર્યો છે
(समणाउसो! जयाणं सामुद्दगा ईसिं पुरे वाया पच्छावाया मंदावाया महावाया वायंति तयाणं बहवे दावदवा रूक्खा जुण्णा झोडा जाव मिलायमाणा २ चिट्ठति, अप्पेगइया दावदवा रुक्खा पत्तिया पुफिया जाव उपसोभेमाणार चिट्ठति एवामेव समणाउसो जो अम्हं निग्गंथो वा निग्गंथी वा पब्वइए समाणे बहूणं अण्णउत्थियाणं बहूगं गिहत्थाणं सम्मं सहइ बहूगं समणाणं ४ नो सम्म सहइ एसणं मए पुरिसे देसाराहए पण्णत्ते )
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર : ૦૨
૨૭૮