Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 301
________________ અપ્રિય, અમનેઝ અને અમને આમ થઈ પડ્યો છું. કેમ કે હમેશા જમવાના વખતે મારા માટે આજના જેવું ઉદક રત્ન ( સારું પાણી ) તમે ઉપસ્થાપિત કરતા નથી–મૂકાવડાવતા નથી. ? હે દેવાનુપ્રિય ! બેલે, આવું ઉદક રત્ન તમે એ ક્યાંથી મેળવ્યું છે ? (तएणं मुबुद्धी जियसत्तूं एवं वयासी एसणं सामी ! से फरिहोदए, तएणं से जियसत्तू सुबुद्धि एवं वयासी-केणं कारणेणं सुबुद्धी एस से फरिहोदए ? तएणं सुबुद्धी जियसत्तूं एवं वयासी-एवं खलु सामी ! तुम्हे तया मम एवमाइक्खमाणस्स ४ एयमद्वं नो सहहह, तएणं मम इमेयाख्वे अज्झथिए समुपज्जित्था ) ત્યારે સુબુદ્ધિ પ્રધાને જીતશત્રુ રાજાને કહ્યું કે હે સ્વામી! આ ઉદકરત્ન (સારું પાણી) તે જ ખાઈનું પાણી છે. રાજાએ અમાત્યને ફરી પૂછયું કે ખાઈનું પાણી આવું સરસ કેવી રીતે થઈ ગયું ? જવાબમાં સુબુદ્ધિ અમાત્યે કહ્યું કે હે સ્વામિન ! પહેલાં મેં તમારી સામે આ પ્રમાણે પ્રરૂપિત કર્યું હતું, આ પ્રમાણે સંજ્ઞાપિત કર્યું હતું, વિજ્ઞાપિત કર્યું હતું, વારંવાર પ્રતિપાદિત કર્યું હતું કે શુભાશુભ રૂપમાં પુદ્ગલોનું પરિણમન થતું જ રહે છે. અનેક રૂપમાં તેઓમાં પરિવર્તન થતું જ રહે છે. આવું પરિવર્તન તેઓનું એક સ્વાભાવિક લક્ષણ છે. પણ જ્યારે તમે મારી આ વાત શ્રદ્ધાપૂર્વક સાંભળી નહિ, મારા કથન ઉપર વિશ્વાસ કર્યો નહિ, ત્યારે મારા મનમાં આ જાતના આધ્યાત્મિક, ચિંતિત, કલ્પિત, પ્રાર્થિત મને ગત ઘણું વિચારો ઉત્પન્ન થયા કે (अहोणं जियसत्तू संते जाव भावे नो सद्दहइ, नो पत्तियाइ, नो रोएइ, तं सेयं खलु ममं जियसत्तूस्स रण्णो संताणं जाव सब्भूयाणं जिणपन्नत्ताणं भावाणं अभिगमणट्ठयाए एयमढे उवाइणावेत्तए) જુઓ આ કેવી આશ્ચર્યની વાત છે કે જીતશત્રુ રાજા સદ્દભૂત વિદ્યમાન યાવતુ જીન પ્રજ્ઞસના ભાવે ઉપર શ્રદ્ધા ધરાવતા નથી, તેમના ઉપર વિશ્વાસ મૂકતા નથી અને પોતાની રૂચિ પણ તેમના પ્રત્યે જમાવતા નથી. એટલે મારે હવે જીતશત્રુ રાજાને સદૂભૂત વિદ્યમાન યાવત જીનપ્રતિભાને બોધ આપવા શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્રઃ ૦૨ ૨૯૪

Loading...

Page Navigation
1 ... 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331