Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
તi સે ફિ વિસાય ઈત્યાદિ
ટીકાથ-(તi) ત્યારબાદ “શે રિજે વિસાચ” તે પિશાચરૂપ ધારી દેવે “અન્ન સમોવાણ શ્રમણોપાસક અરહનકથી “રોન્નજિ બીજી અને ત્રીજી વખત પણ “gવે વાલી” આ પ્રમાણે જ કહ્યું-“હે અરહનકo!, અપ્રાર્થિત પ્રાર્થિત તમારા શીલ વિગેરે શ્રાવક ધમને બદલવાની કે તેમાં કઈ પણ જાતને ફેરફાર કરવાની મારામાં તાકાત નથી, જે તમે પિતાની મેળેજ એમને ત્યાગ કરે તે ઠીક ! નહીં તો તમારા વહાણને હું પાણીમાં ડુબાડી દઈશ.
તેથી તમે આ રીદ્ર ધ્યાનના વશવત થઈને અસમાધિને પ્રાપ્તકરશે તેમજ મૃત્યુના સમય પહેલાં જ મૃત્યુને ભેટશે. આ પ્રમાણે જેમ તેણે પહેલી વખત કહ્યું હતું તે પ્રમાણે જ બીજી અને ત્રીજી વખત પણ અરહનક શ્રાવકને દેવે કહ્યું.
(तएणं से दिव्वे पिसायरूवे अरहन्नगं धम्मज्झाणोवगयं पासइ पासित्ता बलियतरागं आसुरुत्ते तं पोयवहणं दोहिं अंगुलियाहिं गिण्हइ)।
ત્યાર બાદ પિશાચરૂ૫ ધારી દેવે અરહનક શ્રાવકને વિષાદ અને વૈમન રહિત ચિત્તવાળે થઈને નિશ્ચળ રૂપથી, ભય વગર થઈને, મૌન ધારણ કરીને ધર્મધ્યાનમાં જ તલ્લીન જે ત્યારે તે તેના ઉપર-ક્રોધમાં ભરાઈ લાલ પીળે થઈ ગયો, અને તેણે વહાણને પિતાની બે આંગળીઓ-મધ્યમાં અને તર્જનીવડે પકડી લીધું. “frઠ્ઠા સત્તારૂં નાવ સહુન્ના પર્વ વવાણી” પકડીને તે વહાણને સાત આઠ તાલ પ્રમાણ જેટલું આકાશમાં લઈગયે અને લઈ જઈને તેણે અરહનક શ્રાવકને આ પ્રમાણે કહ્યું
(સ્મો ગન ! ગપરિયાપચિા ! વહુ #g; તાસીટા तहेव धम्मज्झाणोवगए विहरइ)
હે અરહનક ! હે આપ્રાર્થિત પ્રાર્થિત! હું તમને પિતાને શીલવ્રત વગેરેથી વિચલિત કરું તે એગ્ય ન લેખાય એથી તમે રાજીખુશીથી પિતાની મેળે જ તેમને ત્યજે નહિતે તમારા વહાણને હું અહીંથી પટકીને પાણીમાં ડૂબાડી દઈશ. જેથી તમે અસમાધિને મેળવીને આધ્યાન વગેરેના વશવતી થશે અને છેવટે મૃત્યુના સમય પહેલાં જ મૃત્યુને ભેટશે દેવની આ વાત પર અરહનક શ્રાવકે જરાએ ધ્યાન આપ્યું નહિ અને તેણે પોતાના મનમાં જ
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર : ૦૨
૧૫૦