Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
બલવું વગેરે અપરાધ જાણી ગયા છે તેવી કોઈ લાજથી મેં નીચું ઘાલીને કળવતી કન્યા જતી હેય, (વીવી સિચરાઝિચ વિવ પુષ્પમાળી) હજારે
જાઓના પ્રહારોથી અથડાઈને થર થર ધ્રુજતી તે નાવ (ખાતામાં aur વિવ) એવી લાગતી હતી કે જાણે દેરી તૂટી જવાથી આકાશમાંથી નીચે પડી ગઈ હોય,
એટલે કે જેમ બંધન તૂટી જવાથી કોઈ વસ્તુ ઉપરથી નીચે આવી પડે છે તેવી જ રીતે જાણે કે આ નાવ પણ બંધન તૂટી જવાથી આકાશમાંથી નીચે પડી ગઈ ન હોય? (रोयमाणीविव सलिल गंठिविप्पइरमाणा घोरंसुवाएहिं णवबहू उपरयभत्तुया)
પિતાના પતિના મૃત્યુ પામ્યા બાદ જેમ કોઈ નવેઢા-જુવાન પત્નીઆમાંથી શ્રાવણ, ભાદરવાની જેમ આંસુઓની ધારા વહાવતી ઉભી હોય તેમજ તે વહાણ પણ પાણીથી ભીનું થઈને સાંધાઓમાંથી સતત જળપ્રવાહ વહાવી રહ્યું હતું એટલે એમ જણાતું હતું કે તે રડતું જ ન હોય ! (विलवमाणीविव परचक्करायाभिरोहिया परममहब्भया भिया महापुरवरी )
શત્રુ બની ગયેલા બીજા બહારના ઘણા રાજાઓથી ઘેરાયેલી કોઈ મહાનગરી અત્યંત ભયગ્રસ્ત થઈને વિલાપ કરવા માંડે છે એટલે કે જ્યારે કોઈ મહાનગરી શત્રુ રાજાએથી મેર ઘેરાઈ જાય છે ત્યારે નગરીમાં રહેનારી દરેક વ્યક્તિ જેમ ભયભીત થઈને જ્યાં જેને નાસી જવાનું સરળ પડે છે ત્યાં તે રડતી વિલતી નાસી જાય છે, પ્રજાજનોમાં આનાથી ખૂબ જ ત્રાસ ઉત્પન્ન થઈ જાય છે અને તેઓના મોંથી “હાય” “હાય” ના શબ્દ પિતાની મેળે નીકળવા માંડે છે. આ પ્રમાણે તે નગરી જેમ વ્યાકુળ થઈ જાય છે તેમ જ નાવમાં બેઠેલા યાત્રીઓના મોંથી નીકળતા “હાય”, “હાય” ના શબ્દોથી ત્યાંનું વાતાવરણ વ્યાકુળ થઈ રહ્યું હતું. સૂત્રકારે આ નાવને અનેક દુશ્મન
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર : ૦૨
૨૩૭