________________
૧૬૫ ॐ योगभ्रष्टत्वविचारः
અધ્યાત્મોપનિષકરણ-૨/૫ <–(૧/૪૩) તિ | તટુવતં મનવતાવામ: -> ગુવીનાં શ્રીમતાં નેટ્ટે વોમ્રિોડમિનાતે / અથવા योगिनामेव कुले भवति धीमताम् ।। <-(६/४१-४२) इति । योगभ्रष्टत्वञ्च न विध्यादिभञ्जकत्वं किन्तु योगारम्भकत्वे सति विधिविशुद्धप्रवृत्त्या तत्परिपालकत्वे सति कालादिसामग्रीवैकल्यात् तदसमापकत्वम् । लवसत्तमसुराद्युदाहरणमत्र भावनीयम् । एवञ्चेहामुत्र वात्मसाक्षात्कारोदयनिश्चयात्पौन:पुन्येनाऽऽत्मविचारजन्यान्तर्मुखता मुमुक्षुणा दृढतया कर्तव्या यतः दृष्टुः = विशुद्धात्मनो दृगात्मता = अभिव्यक्ताऽखण्डशुद्धज्ञानरूपता एव मुक्तिः । -> निर्जितमदमदनानां मनोवाक्कायविकाररहितानाम् । विनिवृत्तपराशानामिहैव मोक्षः सुविहितानाम् ॥२३८|| <- इति प्रशमरतिवचनमपि हेतुमुखेनैतत्परिचायकम् । दृश्यैकात्म्यं = 'अहं गौर: श्यामो वा' इत्यादिरूपेण प्रतिभासमानं विनश्वरदेहादितादात्म्यं भवभ्रमः = भव एव भ्रमः, अशाश्वतत्वेनाऽपारमार्थिकत्वात् । न हि 'अहं गौरः' इत्यादिरूपेणात्मनो देहैकात्म्यभानं सर्वदा भवितुमर्हति, व्यवहारदशायामात्मनः कथञ्चिदेहात्मकत्वेऽपि परमार्थतः चिदानन्दरूपतया ततो भिन्नत्वात्, आत्मसाक्षात्कारोदये तादृशभ्रमविलयस्य न्याय्यत्वात्। यद्वा दृश्यैकात्म्यधीरतस्मिंस्तद्रूपतावगाहनेन भ्रमात्मिकाऽवसेया, सैव च भवभ्रमणकारणतया (=આત્માનુભાવસંબંધી અંતરાયના) ચાર પ્રકાર છે. (૧) પાંચે ઈન્દ્રિયોના વિષયોમાં ચિત્તની આસક્તિ, (૨) પ્રજ્ઞાની મંદતા, (૩) કુતર્ક (શુષ્ક તર્ક દ્વારા શાસ્ત્રનું વિપરીત અર્થઘટન કરવું), અને (૪) શાસ્ત્રમાં જણાવેલ બાબતથી વિપરીત જ્ઞાનનો દુરાગ્રહ.<-સ્વાનુભવમાં અટકાયત કરનાર આ ચાર મિલન તત્ત્વ દૂર થતાં અવશ્ય આત્માનુભૂતિ થાય છે. પ્રામાણિકપણે જ્ઞાનપૂર્વક અન્તર્મુખ થનાર સાધક ભવાંતરમાં પણ ચોક્કસ સ્વાનુભવ માટેની ઉચિત આવશ્યક સામગ્રી મેળવે છે. ભગવદ્ગીતામાં પણ જણાવેલ છે કે – યોગભ્રષ્ટ સાધક ભવાન્તરમાં પવિત્ર એવા શ્રીમંતોના ઘરમાં જન્મ લે છે. અથવા પ્રજ્ઞાવાન એવા યોગીઓના કળમાં જન્મ પામે છે. <–પ્રસ્તામાં યોગભ્રષ્ટવનો મતલબ વિધિ આદિનો ભંગ કરવો એમ ન સમજવું, પરંતુ યોગભ્રષ્ટ'પદથી એ અર્થ વિવક્ષિત છે કે જે સાધક યોગનો આરંભ કરે, તેમ જ વિધિવિશુદ્ધ આચરણ દ્વારા તેનું પાલન પણ કરે છતાં પણ કાળ વગેરે સામગ્રીની વિકલતાને (અર્થાત આયુષ્યસમાપ્તિ વગેરેના) કારણે યોગસાધનાને સમાપ્ત ન કરી શકનાર એ સાધક. લવસત્તમ અનુત્તરવાસી દેવ વગેરે ઉદાહરણની અહીં વિચારણા કરી શકાય. આમ આ લોકમાં કે પરલોકમાં મને આત્મસાક્ષાત્કાર થવાનો છે - તેમ નિશ્ચય કરીને વારંવાર આત્મવિચારથી જ એવી અંતર્મુખતા મુમુક્ષએ દઢતાપૂર્વક કેળવવી. કારણ કે જ્ઞાતા, દટા એવા પુરૂષનું અભિવ્યક્ત અખંડ શુદ્ધ જ્ઞાન સ્વરૂપ એ જ મુકિત છે. વાચકવર્ય શ્રી ઉમાસ્વાતિ મહારાજાએ પ્રશમરતિ પ્રકરણમાં જે જણાવેલ છે કે -> મદ અને મદનને જીતી લેનાર તથા મન, વચન અને કાયાના વિકારથી રહિત અને સર્વ પરદ્રવ્યોની અપેક્ષાથી રહિત એવા સુવિહિત સાધુઓને અહીં જ મોક્ષ છે. <-તે વાત પણ આ ગ્રંથમાં જણાવેલ મોક્ષની હેતુમુખે પરિચાયક છે. “હું ઉજળો છું.” અથવા “હું કાળો છું.” ઈત્યાદિ રૂપે વિનશ્વર શરીર વગેરેની સાથે પ્રતિભાસમાન તાદાત્મ એ જ સંસાર છે અને એ જ ભ્રમ છે. કારણ કે તે અશાશ્વત હોવાના કારણે અપારમાર્થિક છે. “હું ગોરો છું.” ઈત્યાદિ રૂપે શરીર સાથે આત્માના તાદાત્મનો પ્રતિભાસ કાંઈ સર્વદા થઈ ન શકે. વ્યવહારદશામાં આત્મા કથંચિત દેહ સ્વરૂપ હોવા છતાં પણ પરમાર્થથી ચિદાનંદસ્વરૂપ હોવાને કારણે શરીરથી તે ભિન્ન જ છે. તેથી આત્મસાક્ષાત્કાર થતાં તેવી ભ્રમણાનો વિલય થવો યોગ્ય જ છે. અથવા એમ પણ કહી શકાય કે દશ્ય એવા દેહની સાથે આત્માને જે તાદાભ્યની બુદ્ધિ થાય છે તે બુદ્ધિ અનાત્મામાં આત્મપણાનું અવગાહન કરવાના કારણે ભ્રમણાત્મક જાણવી. અને તે ભ્રમણા એ જ ભવભ્રમણનું કારણ હોવાથી સંસાર કહેવાય છે. અર્થાત શરીરમાં આત્મપણાની બુદ્ધિ એ ભવભ્રમણકારણ સ્વરૂપ ભ્રમ છે. દેહ, ધન, પત્ની, વસ્ત્ર વગેરે બાહ્ય