Book Title: Adhyatma Upnishad Part 02
Author(s): Yashovijay Gani
Publisher: Andheri Gujarati Jain Sangh

View full book text
Previous | Next

Page 163
________________ ૨૮૯ વ્યવહાર-નિશ્રયસમન્વયઃ અધ્યાત્મોપનિષત્પ્રકરણ૩/૧૬ प्रथमम् ?' इत्येवं मोक्षे बाह्याभावं पुरस्कृत्य ये पण्डितंमन्याः व्यवहारतः अक्रियाः सद्धर्माचाररहिताः ते बदने कवलक्षेपं विना तृप्तिकाङ्क्षिणः । तुल्यन्यायेन कवलग्रहणानुपपत्तेः गृहीतकवलस्यापि प्रान्ते मलरूपेण त्यक्तव्यत्वादेव । न चैवं युक्तम् । ततश्च निश्चयमवलम्ब्य स्वोचितव्यवहाराश्रिताः परमतत्त्वभाजस्स्युः । तदुक्तं तत्त्वज्ञानतरङ्गिण्यांव्यवहाराद् बहिः कार्यं कुर्याद् विधिनियोजितम् । निश्चयं चान्तरे ધૃત્વા તત્ત્વવેરી મુનિશ્ચમ્ | – (૭/૨૨) ત્યવધેયમ્ ॥૩/ક્ષ્ાા क्रियाया भावयोग-क्षेमकारित्वमाविष्करोति' गुणवदिति । गुणवद्बहुमानादेर्नित्यस्मृत्या च सत्क्रिया । जातं न पातयेद्भावमजातं जनयेदपि ॥ १६॥ = गुणवद्बहुमानादेरिति । तपस्त्याग - तितिक्षा - संयम-ब्रह्मचर्य क्षमा मार्दवाऽऽर्जवादिगुणवतां बहुमानसत्कार-सन्मान-भक्त्यादेः नित्यस्मृत्या प्रतिज्ञाताहिंसादियम-स्वाध्यायादिनियम- द्रव्याद्यभिग्रहानां सदैव स्मरणेन, चः समुच्चये सत्क्रिया = વન-જૂન-વૈયાવૃત્ત્વ-દ્રવ્યાયમિશ્રાજીન-સિદ્ધાન્તસમ્વન્ધિશ્રવળપાઠ મુજબ પ્રસ્તુત શ્લોકનું અર્થઘટન એવું જાણવું કે “મોક્ષ પરમાનંદ સ્વરૂપ છે. મોક્ષમાં કોઈ પણ પ્રકારના ક્રિયાકલાપસ્વરૂપ બાહ્ય ભાવ નથી. મોક્ષે જવાના સમયે બધી જ ક્રિયાઓ છોડવાની છે જ. તેથી મોક્ષે જતાં પહેલા ક્રિયાનું આલંબન શા માટે કરવું ?'' - આ રીતે મોક્ષમાં બાહ્ય પદાર્થોના અભાવને આગળ કરીને, પોતાની જાતને પંડિત માનનારા જે શુષ્ક જ્ઞાનીઓ વ્યવહારથી = સદ્ધર્માચારથી રહિત છે તેઓ મોઢામાં કોળિયો મૂક્યા વિના તૃપ્તિને ઈચ્છે છે. જો મોક્ષમાં જવાના અંત સમયે સર્વ ક્રિયાઓ છોડવાની હોવાના લીધે ક્રિયાનો સ્વીકાર સદંતર ન જ કરવાનો હોય તો તે માણસ અનાજનો કોળિયો પણ ગ્રહણ નહિ કરી શકે, કારણ કે ગ્રહણ કરેલા કોળિયાને પણ અંતે તો મળ રૂપે છોડવાનો જ છે. જેમ મળરૂપે ભોજનનો કોળિયો છોડવાનો હોવા છતાં પણ બધા લોકો ભોજન ગ્રહણ કરે છે કારણ કે ભૂખ લાગી હોય, શક્તિ મેળવવી હોય, તૃપ્તિ લાવવી હોય તો તે જરૂરી જ છે. બરાબર આ જ રીતે મોક્ષમાં જતા પૂર્વે સઘળીયે ક્રિયાઓ છોડવાની હોવા છતાં પણ ધર્મમાર્ગે આગળ વધવા, ધર્મસામગ્રીપ્રાપક પુણ્ય મેળવવા, આત્મશુદ્ધિ મેળવવા, શાસનને ટકાવવા માટે પોતાને ઉચિત એવી બાહ્ય ધર્મક્રિયાનો આશ્રય કરવો જરૂરી છે. તે વખતે હૃદયમાં નિશ્ચયનયનો યથાવસ્થિત બોધ હોય તે જરૂર આવકાર્ય છે, કારણ કે તે રીતે ધર્મક્રિયાને આચરવાથી પરમ તત્ત્વની પ્રાપ્તિ થાય છે. તત્ત્વજ્ઞાનતરંગિણીમાં જણાવેલ છે કે —> જે તત્ત્વવેદી પુરૂષ હોય તેણે અત્યંત નિશ્ચલ રીતે હૃદયમાં નિશ્ચયને ધારણ કરીને શાસ્ત્રીય વિધિથી નિશ્ચિત થયેલા એવા કાર્યને બહારથી વ્યવહારને આશ્રયીને કરવું જોઈએ. — આ વાત ખ્યાલમાં રાખવી. (૩/૧૫) ક્રિયા એ જ ભાવના યોગક્ષેમને કરનાર છે -એ વાત જણાવતા ગ્રંથકારશ્રી કહે છે કે : શ્લોકાર્થ :- ગુણવાનો પ્રત્યેનું બહુમાન વગેરે અને નિત્ય સ્મૃતિ દ્વારા થતી સક્રિયા અનુત્પન્ન ભાવને ઉત્પન્ન કરે છે, અને ઉત્પન્ન થયેલા ભાવને પડવા દેતી નથી. (૩/૧૬) = ટીકાર્થ:- સંપ, ત્યાગ, તિતિક્ષા, સંયમ, બ્રહ્મચર્ય, ક્ષમા, નમ્રતા, સરળતા વગેરે ગુણોથી અલંકૃત જીવોનું બહુમાન, સત્કાર, સન્માન, ભક્તિ કરવાથી અને પ્રતિજ્ઞા કરેલ અહિંસા વગેરે યમ, સ્વાધ્યાય વગેરે નિયમ, દ્રવ્ય-ક્ષેત્ર વગેરે સંબંધી અભિગ્રહનું સદૈવ સ્મરણ કરવાથી વંદન, પૂજન, વૈયાવચ્ચ, દ્રવ્ય-ક્ષેત્ર વગેરે અભિગ્રહનું

Loading...

Page Navigation
1 ... 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242