________________
સિંક્ષિપ્ત સારી આઠ-આઠ શ્લોકનું એક અષ્ટક. એવાં બત્રીસ અષ્ટક અને બત્રીસ વિષય. એ વિષયોની ક્રમિક ગોઠવણી છે. ગોઠવણીમાં સંકલના છે.
ગોઠવણીમાં સાધનાનું માર્ગદર્શન છે. આ ચાર શ્લોકોમાં બત્રીસ વિષયોનાં નામ છે. ગ્રંથકારે “ટબા'માં હેતુપુરસ્સર એનો ક્રમ સમજાવ્યો છે. પહેલું અષ્ટક છે પૂર્ણતાનું. લક્ષ વિનાની પ્રવૃત્તિનું કોઇ મૂલ્ય નહીં, કોઇ ફળ નહીં, એટલે પહેલા જ અષ્ટકમાં લક્ષ બતાવ્યું પૂર્ણતાનું; આત્મગુણોની પૂર્ણતાનું. આ લક્ષ જે જીવનું બંધાય, “મારે આત્મગુણોની પૂર્ણતા મેળવવી જ છે'- આવો સંકલ્પ થાય, તો જ જીવ જ્ઞાનમાં મગ્ન બની શકે; માટે * બીજું અષ્ટક છે મગ્નતાનું. જ્ઞાનમાં મગ્ન! પરબ્રહ્મમાં લીન! આત્મજ્ઞાનમાં જ મગ્નતા. આવી સ્થિતિ પ્રાપ્ત થાય ત્યારે જ જીવની ચંચળતા દૂર થાય અને સ્થિર બને. માટે મગ્નતા પછી છે ત્રીજું અષ્ટક છે સ્થિરતાનું. મન-વચન-કાયાની સ્થિરતા. મનની સ્થિરતા પ્રાપ્ત કરવાની. તો જ ક્રિયાઓનું ઔષધ કામ કરે. સ્થિરતાનો રત્નદીપક પ્રગટ કરવાનો, તો જ મોહ-વાસનાઓ મોળી પડે. માટે ચોથું અષ્ટક છે અમોહનું. “અહ” અને “મમ' એ મોહરાજાનો મંત્ર છે. મંત્રથી ચઢેલાં મોહનાં જેર “નાદ'-“ન મન'ના પ્રતિપક્ષી મંત્રથી ઉતારવાનો ઉપદેશ આપવામાં આવ્યો છે. આ રીતે મોહનું ઝેર ઊતરે તો જ જ્ઞાની બની શકાય, તે માટે
sta se was sitting a ts s aid swaY busiastasiY૪
,
B
ala Hass is an as a w Yahi aiFi Yaas