________________
પ્રથમ નિતવ જમાલિ નામના મુનિથી દશપુર નામના નગરમાં “પૃષ્ટ-અબધ્ધકર્મવાદ” નામનો નિહ્નવવાદ શરૂ થયો. || ૨૩૦૧/૨૩૦૨ ||
सावत्थी उसभपूरं सेअम्बिआ मिहिल उल्लुगातीरं । पुरमंतरंजि दसउर, रहवीरपूरं च नयराइं ॥ २३०३ ॥
ગાથાર્થ - (૧)શ્રાવસ્તી નગરી, (૨) ઋષભપૂર (રાજગૃહનગરમાં) (૩) જૈતાબિકા નગરી, (૪) મિથિલાનગરી, (૫) ઉલ્લકાતીર, (૬) અંતરંજિકાનગર, (૭) દશપુર નગરમાં તથા (૮) રથવીરપુરનગરમાં આ નિહ્નવવાદ શરૂ થયા. | ૨૩૦૩ /
વિવેચના :- આ ગાથામાં આ સાતે નિહ્નવો ક્યા ક્યા નગરમાં થયા ? ક્યા નગરમાંથી આ નિદ્વવવાદ શરૂ થયો. તે જણાવવામાં આવ્યું છે.
(૮) આઠમા નિહ્નવ બોટિક થયા. કે જેને દિગંબર કહેવાય છે. તે “રથવીરપુર” નામના નગરમાં થયા. આ નિદ્વવનું પણ વર્ણન કરવામાં આવશે. ગ્રંથના લાઘવ માટે તેમની નગરીનું નામ અહીં લખવામાં આવ્યું છે. પરંતુ ક્યારે આ મત નિકળ્યો અને કોનાથી નિકળ્યો ? વિગેરે હકિકત ગાથા ૨૫૫૦ થી ૨૬૦૮માં લખવામાં આવશે. || ૨૩૦૩ ||
અવતરણ - ભગવાનને કેવળજ્ઞાન થયા પછી અને નિર્વાણ પામ્યા પછી કેટલા કેટલા વર્ષે આ નિર્ભવો થયા ? તેનું કાળમાપ જણાવે છે.
चोद्दस सोलस वासा, चोद्दावीसुत्तरा य दुण्णि सया । अट्ठावीसा य दुवे, पंचेव सया य चोआला ॥ २३०४ ॥ पञ्च सया चुलसीओ, छच्चेव सया नवुत्तरा हुंति । नाणुप्पत्तीए दुवे, उप्पन्ना निव्वुए सेसा ॥ २३०५ ॥
ગાથાર્થ - ૧૪ વર્ષો, ૧૬ વર્ષો, ૨૧૪ વર્ષો, ૨૨૦ વર્ષો, ૨૨૮ વર્ષો, ૫૪૪ વર્ષો, ૫૮૪ વર્ષો. અને ૬૦૯ વર્ષો ગયે છતે આ આઠ નિહ્નવો થયા. તે આઠમાં પ્રથમના બે નિદ્વવો પરમાત્માને કેવળજ્ઞાન પ્રાપ્તિ થઈ તેનાથી ૧૪ અને ૧૬ વર્ષો ગયે છતે થયા. તથા બાકીના સર્વે પણ નિવો પરમાત્માના નિર્વાણથી તેટલા વર્ષે થયા છે. //ર૩૦૪ ૨૩૦૫ ||
વિવેચન :- આ ગાથાનો ભાવાર્થ જો કે પૂર્વની ગાથામાં સમજાવાઈ ગયો જ છે. તો પણ એટલું વિશેષ સમજવું કે પ્રથમના બે નિદ્વવ પરમાત્માને કેવળજ્ઞાન પ્રગટ થયા