________________
૯૪
સમુચ્છેદવાદ
નિહ્નવવાદ અવતરણ - એકલો પર્યાયાર્થિકનય જ માનવો તે મિથ્યાત્વ છે આમ કેમ કહો છો? તેનો ઉત્તર કહે છે.
जमणंतपज्जयमयं वत्थु, भुवणं व चित्तपरिणामं । ठिइ-विभव-भंगरूवं, निच्चानिच्चाइ तोऽभिमयं ॥ २४१६ ॥
ગાથાર્થ - જે કારણથી સર્વોપણ વસ્તુઓ અનંતપર્યાયમય છે તથા ત્રણે ભુવનની જેમ ચિત્ર-વિચિત્ર પરિણામવાળી વસ્તુઓ છે તે કારણથી સર્વે પણ વસ્તુઓ સ્થિતિ વિભવ અને ભંગ (ધ્રુવ-ઉત્પત્તિ અને વિનાશ) એમ ત્રણ ધર્મમય છે. તેથી નિત્યનિત્ય માનેલી છે. || ૨૪૧૬ |
વિશેષાર્થ - જે કારણથી જગતની તમામ વસ્તુઓ એકાન્ત પર્યાય મય પણ નથી.તથા એકાન્ત દ્રવ્યમય પણ નથી. પરંતુ દ્રવ્ય-પર્યાય એમ ઉભયમય હોય છે. તથા અનન્ત પર્યાયવાળી સઘળી પણ વસ્તુઓ છે તેથી જ સ્થિતિ-ઉત્પાદ અને વિનાશ સ્વરૂપ હોવાથી પૃથ્વી ભવન-વિમાન-દ્વીપ-અને સમુદ્ર આદિ રૂપે ત્રણે ભુવનની સમસ્ત પણ વસ્તુઓ નિત્ય-અનિત્યાદિ રૂપે વિચિત્ર પરિણામવાળી તથા અનેક સ્વરૂપ વાળી છે. આ પ્રમાણે તીર્થકર ભગવંતોએ કેવલજ્ઞાનથી જોએલું છે. અને તેથી તેમ જ કહેલું છે. અને આમ માનેલું છે (આપણે પણ આમ જ માનવું જોઈએ.)
આ કારણથી એકાન્ત વિનશ્વર લક્ષણવાળું એક જ સ્વરૂપ સ્વીકારવું તે મિથ્યાત્વ જ છે. માટે તું મિથ્યાત્વનો ત્યાગ કર આમ વિરોએ અશ્વમિત્ર મુનિને સમજાવવા ઘણો પ્રયત્ન કર્યો.) || ૨૪૧૬ ||
અવતરણ - મા ૪ = તથા વળી બન્ને નયો સાથે માનવા અતિશય જરૂરી છે તે સમજાવતાં કહે છે કે
સુદ-દુમg-વંદ-મુવરવા, ૩મયનયમથાળુવો ગુત્તા ! एगयरपरिच्चाए, सव्वव्ववहारवोच्छित्ती ॥ २४१७ ॥
ગાથાર્થ - બન્ને નયના મતને અનુસરશો તો જ સુખ-દુઃખ બંધ અને મોક્ષ વિગેરે ભાવો સારી રીતે ઘટશે. બન્ને નયોમાંથી કોઈ પણ એક નયનો ત્યાગ કરશો તો સર્વવ્યવહારનો વિચ્છેદ થશે. ૨૪૧૭ ||
વિશેષાર્થ - માષિતાથ gવ રૂતિ = આ ગાથાનો ભાવાર્થ આગલી ગાથામાં સમજાવાઈ ગયો છે છતાં સંક્ષેપથી આ પ્રમાણે છે :