________________
ષષ્ઠમ નિદ્ધવ રોહગુખ મુનિ
૧૪૧ અવતરણ - અહીં પરશિષ્યનો જે બચાવે છે. તે બચાવ કહીને પોતાના પક્ષમાં આવો બચાવ સમાન જ છે તે સમજવે છેઃअह ते अजीवदेसो अजीवसामण्ण जाइलिङ्गोत्ति । भिन्नो वि अजीवोच्चिय, न जीवदेसो वि किं जीवो ॥ २४७४ ॥
ગાથાર્થ - હવે જો તું આમ કહે કે અજીવ એવા ઘટપટના ટુકડા (કાંઠલો) વિગેરે અજીવના જે દેશભાગો છે. તે અજીવની સાથે સમાન જતિ અને સમાનસિંગ વાળા પદાર્થો છે. માટે ભિન્ન હોવા છતાં પણ અજીવ જ છે પરંતુ નોઅજીવ નથી. તો જીવનો દેશ પણ જીવ જ છે. આમ પણ તું કેમ વિચારતો નથી. || ૨૪૭૪ ||
વિવેચન - હવે જે તે ઘટ- અથવા પટ વિગેરે અજીવ દ્રવ્ય અર્થાતુ પુદ્ગલાસ્તિકાયના સ્કંધનો એકદેશભાગ પૃથભૂત હોય તો પણ અજીવ જ કહેવાય છે. માટે ઘટના ભાંગેલા ટુકડાને તમે અજીવ જ કહો છો. તથા કપડાના ફાટેલા ટુકડાઓને પણ તમે અજીવ જ કહો છો પણ નોઅજીવ કહેતા નથી.કારણ કે ઘટ હોય કે ઘટનો એકદેશ (કાંઠલો કે ઠીકરી) હોય પટ હોય કે પટનો એકદેશ હોય. આ સર્વે અજીવની સાથે સમાન છે જાતિ અને લિંગ જેનાં એવાં આ સર્વે દ્રવ્યો અજીવ જ કહેવાય છે.
ઘટમાં, ઠીકરામાં, પટમાં કે પટના ટુકડામાં અજીવત્વજાતિ સમાન છે અને પુલ્લિગ આદિ લિંગ પણ સમાન છે આ બધા અજીવના ધર્મો અજીવમાં અને તેના એકદેશમાં સમાન જ છે. તેથી અજીવનો દેશભાગ પણ અજીવ જ કહેવાય. પણ નોઅજીવ ન કહેવાય.
જો તું આવું સમજે છે કે ઘટ અને ઘટનો એકદેશ આ બન્ને સમાનજાતિ અને સમાન લિંગ હોવાથી અજીવ જ કહેવાય તો જીવનો એકદેશભાગ (પુંછડુ વિગેરે પણ) જીવ જ છે આમ કેમ ન કહેવાય ? કારણ કે તે પુંછડાવાળો ભાગ અથવા હાથ-પગવાળો પણ ભાગ મૂલ જેવદ્રવ્યની સાથે સમાનાતિવાળો છે અને સમાનલિંગવાળો છે માટે આવો દુરાગ્રહ ત્યજી દેવો જોઈએ ૨૪૭૪ ||
અવતરણ - ૨૪૭૪ ની ગાથાના ચોથા પદમાં કહેલા અર્થને પ્રમાણ દ્વારા દરો કરતાં સમજવે
छिन्नगिहकोलिया वि हु, जीवो तल्लक्षणेहि सयलोव्व । अह देसोत्ति न जीवो, अजीवदेसोत्ति नोऽजीवो ॥ २४७५ ॥
ગાથાર્થ - છેદાયેલી (અર્થાતું જેનું પુંછડું કયાઈ ગયું છે) એવી પણ ગિરોળી જીવ જ છે. જીવનાં લક્ષણો સુધા-તૃષા આદિ તેમાં હોવાથી જેમ ન છેદાયેલી ગિરોળી હોય