________________
૧૫૮
નિહ્નવવાદ તે કારણથી “રોગપૃથ્વી” આ શબ્દમાં નો શબ્દ સર્વથા નિષેધ વાચક તરીકે ગ્રહણ કરીએ એટલે નોઝપૃથ્વી શબ્દથી પૃથિવીનો જ અર્થ જણાય છે. પૃથિવીની જ પ્રતિપત્તિ થાય છે. તથા દેશનિષેધ અર્થમાં નો શબ્દ ગ્રહણ કરાયે છતે ઉત્તરપદમાં રહેલા જલાદિ સ્વરૂપ અપૃથિવી શબ્દ જ સંભળાય છે તેથી દેશનિષેધક નો શબ્દ હોતે છતે જલાદિ સ્વરૂપ પૃથ્વીનો એકદેશ જ હવે આપે છે. આવો અર્થ થાય છે. || ૨૫૦૨ //
અવતરણ - પ્રસ્તુત અર્થનું તાત્પર્ય અર્થ સમજાવે છે :उवयाराओ तिविहं, भुवमभुवं नोभुवं च सो देइ । निच्छयओ भुवमभुवं, तह सावयवाई सव्वाइं ॥ २५०३ ॥
ગાથાર્થ - ઉપચારથી એટલે કે વ્યવહારનયથી તે દેવ પૃથ્વીને, અપૃથ્વીને, અને નોપૃથ્વીને આપે છે પરંતુ નિશ્ચયનયથી તો પૃથ્વી અને અપૃથ્વી એમ બે જ વસ્તુનું દાન સંભવે છે. તથા વ્યવહારનયથી સર્વે પણ વસ્તુઓ સાવયવી છે | ૨૫૦૩ /
વિવેચન - તે કુત્રિકાપણ નામની દુકાનના અધિષ્ઠાયક દેવની પાસે વસ્તુની માગણી કરાયે છતે તે દેવ ત્રણ પ્રકારની વસ્તુ આપે છે. ચોથો જે નોકબૂ = વાળો પક્ષ છે. તે પ્રથમપક્ષમાં જ અંતર્ભત થઈ જાય છે. ત્યાં પૂ એટલે લેણુ અને અમૂર્વ એટલે જલાદિ, નો પૂર્વ એટલે ભૂમિનો એક ભાગ એમ દેવ ત્રણ પ્રકારની વસ્તુ આપે છે. આ વાત ઉપચારથી એટલે કે વ્યવહારનયને આશ્રયી જાણવી. કારણ કે તે વ્યવહારનય દેશ અને દેશિના વ્યવહારને માને છે. પરંતુ નિશ્ચયનય આવો દેશ અને દેશિનો વ્યવહાર સ્વીકારતો નથી.
આ કારણે વ્યવહારનયની દષ્ટિએ અમૂ અને નમૂ એમ ત્રણ પ્રકાર હોય છે. પરંતુ નિશ્ચયનયની દૃષ્ટિએ અને આમ બે જ વસ્તુ હોય છે. અને તે દેવ બે જ વસ્તુ આપે છે ત્રીજી નોભૂપલ વાળી વસ્તુ દેશ અને દેશિનો વ્યવહાર જયાં હોય ત્યાં જ ઘટે છે. નિશ્ચયનય તે વાત સ્વીકારતો નથી. અર્થાત્ દેશ-દેશીના વ્યવહારને સ્વીકારતો નથી.
અમે અહીં સુધી જે કંઈ સમજાવ્યું તે ખૂનનનનન (ગાથા નં. ૨૪૯૦)માં કહેલા ૩૬ પદાર્થો પૈકી એક પૃથ્વીનો જ દાખલો આપીને સમજાવ્યું છે. બાકીનાં જલાદિ શેષ વસ્તુઓને આશ્રયી ઉપરોક્ત નીતિ-રીતિ પ્રમાણે તમારે સમજી લેવું. તે આ પ્રમાણે છે
જલાદિ વસ્તુઓને આશ્રયી સર્વોપણ વસ્તુઓ સાવયવી છે ફક્ત કેવળ એકલી પૃથ્વી જ દેવ આપતો નથી. પરંતુ જલાદિ શેષ વસ્તુઓ પણ ચાર પ્રકારે આપે છે (૧)