Book Title: Nihnavavad
Author(s): Dhirajlal Dahyalal Mehta
Publisher: Jain Dharm Prasaran Trust

View full book text
Previous | Next

Page 220
________________ સપ્તમ નિહ્નવ ગોષ્ઠામાહિલ મુનિ ૧૯૭ ત્યારબાદ શ્રીસંઘવડે પણ તેમ જ કરાયું. તે દેવ મહાવિદેહમાં ગયો ભગવન્તને પુછીને પાછો આવ્યો અને શ્રીસંઘને તથા દુર્બલિકાપુષ્પ મિત્રને અને ગોઠામાહિલને કહે છે. ॥ ૨૫૪૬-૨૫૪૭ || संघो सम्मावाई, गुरूपुरोगोत्ति जिणवरो भाइ । इयरो मिच्छावाई, सत्तमओ निह्नवोऽयं ति ॥ २५४८ ॥ एईसं सामत्थं, कत्तो गंजुं जिणिदमूलम्मि । बेइ कडपूयणाए, संघेण तओ कओ बज्झो ॥ २५४९ ॥ ગાથાર્થ :- ગુરુજી છે આગળ જેમાં એવો શ્રી સંઘ સમ્યગ્વાદી છે. બીજો મિથ્યાવાદી છે અને તે સાતમો નિર્ભવ છે. આમ જિનેશ્વર પ્રભુ કહે છે | ૨૫૪૮ ॥ ત્યારે ગોઠામાહિલ કહે છે કે આ દેવની જિનેશ્વર પરમાત્મા પાસે જવાની અને ત્યાં જઇને પાછા આવવાની શક્તિ જ ક્યાં છે ? આ દેવ તો કઠપૂતળી સમાન છે. આમ જ્યારે ગોહામાહિલ નથી સમજતા. ત્યારે સંઘ વડે તેઓને સંઘની બહાર કરાયા. || ૨૫૪૯ || વિવેચન :- મહાવિદેહ ક્ષેત્રમાં બીરાજમાન શ્રીતીર્થંકર પરમાત્મા આ પ્રમાણે કહે છે કે “દુર્બલિકા પુષ્પમિત્ર પૂર્વકનો શ્રીસંઘ જે કહે છે તે સમ્યગ્યાદી (સાચું કહેનાર) છે અને ગોઠામાહિલ મિથ્યાવાદી છે આ ગોષ્ઠામાહિલ સાતમા નિર્ભવ છે.” તે આ સાંભળીને ગોષ્ઠમાહિલ કહે છે કે ખરેખર આ દેવ અલ્પઋદ્ધિવાળો જ છે. કઠપુતળી તુલ્ય છે. આ દેવની તીર્થંકર પરમાત્મા પાસે મહાવિદેહ ક્ષેત્રમાં જવાની અને પાછા આવવાની શક્તિ ક્યાંથી હોય ? આ પ્રમાણે શ્રીસંઘવડે સમજાવવા છતાં પણ આ ગોષ્ઠામાહિલ જ્યારે કંઈ નથી જ સ્વીકારતા ત્યારે સંઘવડે તેને બોલાવીને સંઘ બહાર કરાયા. પોતાના કરેલા અપરાધની ક્ષમા માગ્યા વિના જ તે ગોઠામાહિલ કાલધર્મ પામ્યા || ૨૫૪૮-૨૫૪૯ ॥ ॥ इति गोष्ठामाहिलनामा सप्तमो निह्नवः समाप्तः ॥ આ પ્રમાણે ગોઠામાહિલ નામના આ સાતમા નિર્ભવ સમાપ્ત થયા. સપ્તમ નિતવવાદ સમાપ્ત

Loading...

Page Navigation
1 ... 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278