________________
અષ્ટમ નિહ્નવ શિવભૂતિ મુનિ
૨૪૧ ત્યારબાદ પરંપરા ચાલી. પરંપરા દ્વારા જે આ સ્પર્શ (સંબંધ અર્થાત્ ગુરુ-શિષ્યની પાટ પરંપરા ચાલી તેમાંથી બોટિકની (દિગંબરોની પરંપરામાં વર્તનારા બીજા પણ ઘણા બોટિકો (દિગંબરો) જ થયા.
આ બોટિક (દિગંબર)ની હકિકતના સંબંધવાળી સર્વે પણ ગાથાઓનો અર્થ સંક્ષેપીને “અહીં જે જીવ જેનો અર્થી હોય તે જીવ તેના નિમિત્ત અને ઉપાદાન કારણ પ્રત્યે
ક્યારેય અનાદર ભાવવાળો હોતો નથી. જેમ ઘટનો અર્થી જીવ મૃત્પિડરૂપ અને દિંડારિરૂપ ઉપાદાન અને નિમિત્ત પ્રત્યે અનાદર ભાવવાળો નથી હોતો. તેમ ચારિત્રના અર્થી જે મુનિયો હોય છે અને વસ્ત્ર-પાત્ર એ ચારિત્રપાલનનું નિમિત્ત છે આ વસ્ત્રપાત્રાદિમાં ચારિત્રનું નિમિત્ત પણું અસિદ્ધ નથી.” આ પ્રમાણે વસ્ત્ર અને પાત્રના પરિગ્રહના વિષયવાળુ વાદસ્થાનક (ઘણી જ ચર્ચા ) વૃદ્ધ પુરુષો વડે કરાયેલી છે. તે ચર્ચા ઉત્તરાધ્યયન સૂત્રમાં બીજા પરીષહ નામના અધ્યયનમાં આચેલક્ય પરીષદના પ્રસંગે મોટી ટીકામાં ચર્ચેલું છે. તેના અર્થી જીવોએ ત્યાંથી વિશેષે જાણી લેવું.
તથા જયાં જે કાર્ય થવાનો અસંભવ જ હોય ત્યાં તે કાર્યના કારણની અવિકલતા (પૂર્ણતા) પણ હોતી નથી જ. જેમ શુદ્ધશીલા ઉપર શાલિના અંકુરા ક્યારે ઉગતા નથી. તેવા પ્રકારની સ્ત્રીવર્ગમાં પણ મુક્તિની અવિકલતા (પરિપૂર્ણ કારણતા) છે જ. અમારો આ હેતુ અસિદ્ધ હોવાભાસ નથી. “ઇત્યાદિ વાક્યો દ્વારા સ્ત્રીના નિર્વાણના વિષયવાળું આ વાદ સ્થાનક ત્યાં ઉત્તરાધ્યયનસૂત્રમાં છત્રીસમા અધ્યયનમાં ઘણું જ વિસ્તારથી ચર્ચેલું છે ત્યાંથી જોઈ લેવા વિનંતિ છે. || ૨૬૦૮-૨૬૦૯ /
इति बोटिकाभिधानानामष्टमनिह्नवानां वादः परिसमाप्तः ॥ આ પ્રમાણે બોટીક (દિગમ્બર) છે નામ જેઓનું એવા આઠમા નિહ્નવોના વાદનું સ્થાન અહીં સમાપ્ત થયું
ટમ નિતવવાદ સમાપ્ત