________________
નિતવવાદનો ઉપસંહાર
૨૫૩ હોય દોષિત આહાર ન હોય સચિત્ત ન હોય, કંદમૂળ ના હોય બહુબીજ ન હોય પરંતુ મુનિને યોગ્ય આહાર હોય ફક્ત દિગંબર મુનિ માટે બનાવ્યો હોય તો પણ (દિંગબર મુનિ તે પરમાર્થે મિથ્યાદષ્ટિ હોવાથી મુનિ જ નથી તે માટે) શ્વેતાંબર મુનિને તે આહાર લેવો કહ્યું છે. આમ ગ્રંથકારશ્રી જણાવે છે.
યથાર્થ સાચા મુનિઓને માટે તે આહાર પ્રાશુક છે એષણીય છે. નિર્દોષ છે. શાસ્ત્રમાં તે આહાર લેવાની અનુજ્ઞા કરેલી છે યોગ્ય આહાર હોય તો જ કલ્પે છે પરંતુ અનંતકાયાદિ અકથ્ય આહાર હોય તો કલ્પતો નથી. | ૨૬૨૦ ||
તવમવસતા નિહ્નવવવ્યતા” આ પ્રમાણે આઠે નિદ્વવોની ચર્ચા અહીં સમાપ્ત થાય છે.