Book Title: Nihnavavad
Author(s): Dhirajlal Dahyalal Mehta
Publisher: Jain Dharm Prasaran Trust

View full book text
Previous | Next

Page 247
________________ ૨૨૪ દિગમ્બર અવસ્થા નિઠવવાદ ઉત્તર ઃ- જે વસ્ર પાત્રાદિ પોતાના સંયમી જીવનમાં બીલકુલ ઉપકાર કરનારૂં નથી જરૂરિયાત જ નથી. તો પણ “તીર્થ સવસ્ત્ર જ હશે” “સવન્ના ધ્વ માધવસ્તીર્થે વિાં મવિષ્યન્તિ” આ તીર્થમાં સાધુઓ વસ્ર સહિત જ થશે. અને લાંબો કાળ વસ્ત્ર સહિત જ તીર્થ ચાલશે આવા પ્રકારનો ઉપદેશ જણાવવા માટે જ સર્વે પણ તીર્થંકર ભગવંતો ગ્રહણ કર્યું છે એક દેવ દૃષ્ય વસ્ત્ર જેણે એવા થઈને જ દીક્ષા ગ્રહણ કરે છે. તે વસ ચાલ્યું ગયે છતે તેઓ અચેલક થાય છે અર્થાત્ વસ્ર વિનાના બને છે. પરંતુ દીક્ષા લે ત્યારથી જ સર્વ કાળ માટે અચેલક હોતા નથી. તે કારણથી “અવેનાજી નિનેન્દ્ર” તીર્થંકર ભગવંતો અચેલક જ હોય છે આવું જે તમે એકાન્તિક વાક્ય કહો છો તે તમારી અજ્ઞાનદશાનું સૂચક જ છે. I૨૫૮૧ ૨૫૮૨-૨૫૮૩ || અવતરણ : જિનકલ્પિક મુનિઓ તો સદાકાળ સચેલક જ હોય છે. આ વાત સમજાવતાં કહે છે કેઃ जिनकप्पियादओ पुण, सोवहओ सव्वकालमेगंतो । उवगरणमाणमेसिं, पुरिसाविक्खाए बहुभेयं ॥ २५८४ ॥ ગાથાર્થ :- જિનકલ્પિક મુનિઓ તો સર્વકાળે એકાન્તે ઉપાધિવાળા જ હોય છે તે જિનકલ્પિક મુનિઓમાં પુરુષની શક્તિની અપેક્ષાએ ઉપકરણોનું પ્રમાણ બહુ ભેદવાળું શાસ્ત્રમાં કહેલું છે. ॥ ૨૫૮૪ ॥ - વિવેચન :- આ ગાથાનો ભાવાર્થ આ પ્રમાણે છે હે શિવભૂતિ ! તું તીર્થંકર પરમાત્માનું આલંબન લઈને તથા જિનકલ્પિક મુનિઓનું આલંબન લઈને જે અચેલકપણું કહે છે આ સર્વ પ્રકારનું પણ તારૂં કથન દુર્લભ બોધિપણું જ સિધ્ધ કરે છે. કારણ કે તીર્થંકર ભગવંતો પણ પૂર્વે કહેલા ન્યાયથી (દેવદૂષ્ય વસ્રોવાળા હોવાથી) એકાન્તે અચેલક જ હોતા નથી. જિનકલ્પિકો તથા સ્વયંબુદ્ધ મહાત્માઓ પણ સર્વકાલમાં એકાન્તે ઉપધિવાળા જ હોય છે આ કારણથી જ ૨૫૫૧-૨૫૫૨ ગાથાની ટીકામાં સાક્ષીરૂપે લખેલી ગાથાઓમાં. दुग तिग चक्क पणगं, नव दस एक्कारसेव बारसगं । एए अट्ठ विगप्पा, जिणकप्पे होंति उवहिस्स ॥ १ ॥ જિનકલ્પિક મુનિઓને ઓછામાં ઓછી ૨થી ૧૨ સુધીની ઉપધિ હોય છે આમ પૂર્વે જણાવેલું છે. જિનકલ્પ આચરનારા પુરુષને આશ્રયી અનેકભેદ વાળી ઉપધિ કહેલી

Loading...

Page Navigation
1 ... 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278