________________
૨૨૪
દિગમ્બર અવસ્થા
નિઠવવાદ
ઉત્તર ઃ- જે વસ્ર પાત્રાદિ પોતાના સંયમી જીવનમાં બીલકુલ ઉપકાર કરનારૂં નથી જરૂરિયાત જ નથી. તો પણ “તીર્થ સવસ્ત્ર જ હશે” “સવન્ના ધ્વ માધવસ્તીર્થે વિાં મવિષ્યન્તિ” આ તીર્થમાં સાધુઓ વસ્ર સહિત જ થશે. અને લાંબો કાળ વસ્ત્ર સહિત જ તીર્થ ચાલશે આવા પ્રકારનો ઉપદેશ જણાવવા માટે જ સર્વે પણ તીર્થંકર ભગવંતો ગ્રહણ કર્યું છે એક દેવ દૃષ્ય વસ્ત્ર જેણે એવા થઈને જ દીક્ષા ગ્રહણ કરે છે.
તે વસ ચાલ્યું ગયે છતે તેઓ અચેલક થાય છે અર્થાત્ વસ્ર વિનાના બને છે. પરંતુ દીક્ષા લે ત્યારથી જ સર્વ કાળ માટે અચેલક હોતા નથી.
તે કારણથી “અવેનાજી નિનેન્દ્ર” તીર્થંકર ભગવંતો અચેલક જ હોય છે આવું જે તમે એકાન્તિક વાક્ય કહો છો તે તમારી અજ્ઞાનદશાનું સૂચક જ છે. I૨૫૮૧
૨૫૮૨-૨૫૮૩ ||
અવતરણ : જિનકલ્પિક મુનિઓ તો સદાકાળ સચેલક જ હોય છે. આ વાત સમજાવતાં કહે છે
કેઃ
जिनकप्पियादओ पुण, सोवहओ सव्वकालमेगंतो । उवगरणमाणमेसिं, पुरिसाविक्खाए बहुभेयं ॥ २५८४ ॥
ગાથાર્થ :- જિનકલ્પિક મુનિઓ તો સર્વકાળે એકાન્તે ઉપાધિવાળા જ હોય છે તે જિનકલ્પિક મુનિઓમાં પુરુષની શક્તિની અપેક્ષાએ ઉપકરણોનું પ્રમાણ બહુ ભેદવાળું શાસ્ત્રમાં કહેલું છે. ॥ ૨૫૮૪ ॥
-
વિવેચન :- આ ગાથાનો ભાવાર્થ આ પ્રમાણે છે હે શિવભૂતિ ! તું તીર્થંકર પરમાત્માનું આલંબન લઈને તથા જિનકલ્પિક મુનિઓનું આલંબન લઈને જે અચેલકપણું કહે છે આ સર્વ પ્રકારનું પણ તારૂં કથન દુર્લભ બોધિપણું જ સિધ્ધ કરે છે.
કારણ કે તીર્થંકર ભગવંતો પણ પૂર્વે કહેલા ન્યાયથી (દેવદૂષ્ય વસ્રોવાળા હોવાથી) એકાન્તે અચેલક જ હોતા નથી. જિનકલ્પિકો તથા સ્વયંબુદ્ધ મહાત્માઓ પણ સર્વકાલમાં એકાન્તે ઉપધિવાળા જ હોય છે આ કારણથી જ ૨૫૫૧-૨૫૫૨ ગાથાની ટીકામાં સાક્ષીરૂપે લખેલી ગાથાઓમાં.
दुग तिग चक्क पणगं, नव दस एक्कारसेव बारसगं । एए अट्ठ विगप्पा, जिणकप्पे होंति उवहिस्स ॥ १ ॥
જિનકલ્પિક મુનિઓને ઓછામાં ઓછી ૨થી ૧૨ સુધીની ઉપધિ હોય છે આમ પૂર્વે જણાવેલું છે. જિનકલ્પ આચરનારા પુરુષને આશ્રયી અનેકભેદ વાળી ઉપધિ કહેલી