________________
અષ્ટમ નિતવ શિવભૂતિ મુનિ
૨૧૫ અમે પણ સિદ્ધ કરી શકીએ છીએ. તે આ પ્રમાણે :- કંચન અને કામિની આ બન્ને પદાર્થો ગાંઠરૂપ નથી. કારણ કે પત્ની તે પુરીષના શરીરની સારસંભાળ કરનાર હોવાથી જરૂરી છે. અને કંચન જે છે તે વિષનો ઘાત કરનાર હોવાથી જરૂરી છે. આહારની જેમ આવાં બન્ને અનુમાન થઈ શકે છે.
પલ્લી : (પ્રતિજ્ઞા), રેઢાર્થતંત્ત (હાયોગન) (હેતુ),મહાવત્ ઉદાહરણ. તથા જીન ૧ પ્રસ્થ, (પ્રતિજ્ઞા) વિષપાતવાન્ હતુ) માદારવત્ (ઉદાહરણ)
ઉપર મુજબ બન્ને અનુમાન થઈ શકે છે. ટીકાના પદોના અર્થ આ પ્રમાણે છે. કનક અને મારા નાત-જાતના રીત રીવાજ મુજબ મને પ્રાપ્ત થયેલી. મારી સાથે રહેનારી મારી પત્ની, આ બન્ને તત્ત્વોને સ્વીકારતાં મને ગ્રન્થિ (ગાંઠ)રૂપ બનતાં નથી. (ન્યાયની ભાષામાં આ પ્રતિજ્ઞા થઈ).
રેઢાર્થત્યાત્ આ હેતુ છે. દેહનો ઉપકાર કરનાર છે મારા શરીરને સાચવનાર છે આ હેતુ થયો. આહારની જેમ, આ ઉદાહરણ થયું.
પ્રશ્ન :- પત્ની તો શરીર સાચવવામાં ઉપકારી છે આ વાત જાણીતી છે પરંતુ કનક કેવી રીતે દેહને ઉપકારી છે ? તે સમજાવો
ઉત્તર :- કનક તે વિષનો ઘાત કરનાર છે માટે પુરુષાદિને ઉપકાર કરનાર છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે :
विसधाय-रसायन-मडगल-च्छविनए पयाहिणावत्ते । गुरुए अ डझकुठे, अट्ठ सुवण्णे गुणा होति ॥ १ ॥
સુવર્ણમાં આઠ ગુણો છે. (૧) વિષઘાત. (૨) રસાયણતા. (૩) માંગલિકતા. (૪) કાન્તિમત્તા, (૫) નીતિમત્તા, (૬) પ્રદક્ષિણાવર્તતા, (૭) ગુરુતા (મોટાઈ), (૮) અને દિગ્ધદુષ્ટતા.
કનક અને યુવતિ વિગેરે ગાંઠ કહેવાતાં નથી. દેહને ઉપકારી હોવાથી આહારની જેમ આવા પ્રકારનું અનુમાન થઈ શકે છે. ૨૫૭૨ //
અવતરણ - જે ખરેખર આમ જ છે. તો ગ્રન્થ અને અગ્રન્થના વિભાગની વાત જ સમાપ્ત થાય છે. કારણ કે ગ્રન્થ તરીકે અતિશય પ્રસિદ્ધ એવા પણ કનકાદિને તમારા વડે અગ્રન્થ તરીકે સિદ્ધ કરાય છે. અને અગ્રન્થ તરીકે મને માન્ય એવા શરીરાદિને “ઃ પ્રજ: રૂપાયાવિહેતુત્વત, નરવા” આવું અનુમાન કરીને તમે તેને ગ્રન્થ તરીકે સિદ્ધ કરો છો. તેથી મને તો આ વિષયમાં કંઈ સમજ જ પડતી નથી કે ગ્રન્થ શું? અને અગ્રન્થ શું? તેથી હવે તમે જ સમજવો કે ગ્રન્થ શું છે ? અને અગ્રન્થ શું છે ? આ પ્રમાણે સાચું તત્ત્વ જાણવાની જિજ્ઞાસાવાળા બનેલા અને તેથી જ કંઈક નજીક આવેલા