________________
૨૧૬
દિગમ્બર અવસ્થા
નિહ્નવવાદ
શિષ્યને પર એવા તેના તરફના વચનની શંકા કરવાપૂર્વક ગ્રન્થ અને અગ્રન્થનો વિભાગ સમજાવતા એવા ગુરુજી કહે છે કેઃ
तम्हा किमत्थि वत्थं, गंथोऽगंथो व सव्वहा लोए । गंथोऽगंथो व मओ, मुच्छममुच्छाहिं निच्छयओ ॥ २५७३ ॥
वत्थाइ तेण जं जं, संजमसाहणमरागदोसस्स । तं तमपरिग्गहोच्चिय, परिग्गहो जं तदुवधाई ॥ २५७२ ॥
ગાથાર્થ :- તેથી આ લોકમાં એવી કઈ વસ્તુ છે કે જે વસ્તુ એકાન્તે ગ્રન્થરૂપ જ હોય અને અગ્રન્થરૂપ જ હોય ? તેથી જ્યાં મૂર્છા થાય અને અમૂર્છા થાય તે કારણથી જ નિશ્ચયનયની દૃષ્ટિએ ગ્રન્થ અને અગ્રન્થ કહેલા છે || ૨૫૭૩ ||
જે મહાત્માને રાગ અને દ્વેષ નથી તે મહાત્માને વસ્રાદિ જે જે સંયમનાં સાધન છે તે તે અપરિગ્રહ જ છે. અને જે જે સંયમનો ઉપઘાત કરનાર છે તે તે પરિગ્રહ જ છે. || ૨૫૭૪ ||
વિવેચન :- તેથી હે શિવભૂતિ ! આ સંસારમાં એવી તે કઈ વસ્તુ છે કે જે પોતાના સ્વરૂપે એકાન્તે ગ્રન્થરૂપ જ હોય ? અથવા એકાન્તે પોતાના સ્વરૂપે અગ્રન્થરૂપ જ હોય? આવી કોઈ પણ વસ્તુ એકાન્તે ગ્રન્થરૂપ કે એકાન્તે અગ્રન્થરૂપ નથી. તે કારણથી “મુ પદ્દિો યુત્તો, રૂફ વુાં મહેસિળા” આવા પ્રકારનું શાસ્રવચન હોવાથી જ્યાં જ્યાં વસ્રપાત્ર-દેહ-આહાર અને કનકાદિ પદાર્થો ઉપર મૂર્છા થાય છે તે તે વસ્તુ ૫૨માર્થથી એટલે કે નિશ્ચયનયથી ગ્રન્થ જ છે અને જ્યાં જ્યાં રાગાદિ થતા નથી ત્યાં ત્યાં તે અગ્રન્થ છે.
આ જ વાતને વધારે સ્પષ્ટ કરતાં કહે છે કેઃ- તે કારણથી રાગ અને દ્વેષ જેને નથી એવા મહાત્માને વસ્ત્ર-પાત્ર-આહાર આદિ જે જે સંયમના સાધન તરીકે છે તે વસ્તુઓ આ મહાત્મા રાખે તો પણ તે તે અપરિગ્રહ જ છે અને જે જે વસ્તુઓ સંયમની ઘાતક છે. તે તે વસ્તુઓ કનક-સ્રી આદિ પરિગ્રહ જ છે. આમ આ વાતનું રહસ્ય છે ॥
૨૫૭૩-૨૫૭૪ ||
અવતરણ :- પરના તરફથી પ્રશ્ન કરીને ઉત્તર આપતાં ગ્રંથકારશ્રી જણાવે છે કે ઃकिं संजमोवयारं करेइ, वत्थाई जइ मई, सु I સીયત્તાનું તાળું, નતળ-તયાળ સત્તાનું ॥ ૨૭ ॥ तह निसि चाउक्कालं, सज्झाणज्झाणसाहणमिसीणं । મહિ-મહિયા-વાસો-મા,-યાવાનિમિત્તે ૪ ॥ ૨૭૬ ॥