Book Title: Nihnavavad
Author(s): Dhirajlal Dahyalal Mehta
Publisher: Jain Dharm Prasaran Trust

View full book text
Previous | Next

Page 235
________________ દિગમ્બર અવસ્થા નિહ્નવવાદ ૨૧૨ તો ગ્રન્થિ (પરિગ્રહ) કેમ કહેવાય ? અર્થાત્ ન જ કહેવાય. આ બાબત તું સૂક્ષ્મદૃષ્ટિથી વિચાર. ॥ ૨૫૬૮-૨૫૬૯ || અવતરણ :- ગાથા નં. ૨૫૫૫ના ઉત્તરાર્ધમાં જે આમ કહેવામાં આવ્યું કે “પળિો ભાવમુ-ભવાયા ત્તિ” વસ્ત્રાદિ રાખવાં તે પરિગ્રહ છે. કષાય હેતુ છે. મૂર્છા હેતુ છે અને ભયાદિનું કારણ છે ત્યાં તે ગાથામાં આવિ શબ્દથી હે શિવભૂતિ ! તે સંગ્રહીત કરેલી જે આવી દલીલ છે કે વસ્ત્રાદિ ચોરાઇ જશે-લુંટાઈ જશે ઇત્યાદિ વિચારો આવે તેટલા માટે તેનું સંરક્ષણ કરવાનું મન થાય તે સંરક્ષણાનુંબંધી રૌદ્રધ્યાનનું કારણ બને માટે તે વસ્ત્ર-પાત્રાદિ રાખવાં જોઇએ નહીં ત્યજવાં જ જોઇએ આવી દલીલ જો તું કરે તો તે દલીલનો પરિહાર કરતાં ગ્રંથકારશ્રી જણાવે છે કે : सारक्खणाणुबंधो, रोद्दज्झाणं ति ते मई हुज्जा । तुल्ल मियं देहाइसु, पसत्थमिह तं तहावि ॥ २५७० ॥ जे जत्तिया पगारा, लोए भयहेअवो अविरयाणं । ते चेव य विरयाणं, पसत्थ भावाण मोक्खाय ।। २५७१ ॥ ગાથાર્થ :- વસ્રાદિ હોય તો તેને સાચવવાના પરિણામ સ્વરૂપ સંરક્ષણાનુબંધી નામનું રૌદ્રધ્યાન આવી જાય માટે વસ્રાદિ ન રાખવાં જોઇએ. આવી જો તું દલીલ કરતો હોય તો શરીરાદિ (શરીર-જ્ઞાન-દર્શન-ચારિત્ર આદિ ગુણો) સાચવવામાં પણ રૌદ્રધ્યાન થવાનો દોષ તો તુલ્ય જ છે. માટે તે પણ ન રાખવાં જોઈએ હવે કદાચ તું એમ કહે કે દેહાદિ (શરીર-જ્ઞાન-દર્શન અને ચારિત્રાદિ ગુણો) તો મોક્ષનું પ્રબળતર સાધન છે માટે જયણાપૂર્વક તેનું સંરક્ષણ કરવું તે રૌદ્રધ્યાન ન કહેવાય પરંતુ તે સંરક્ષણ તો પ્રશસ્ત છે માટે કરવા જેવું છે તો તેવું સંરક્ષણ અહીં પણ (વસ્રાદિ રાખવામાં પણ) મોક્ષની સાધનારૂપે તુલ્ય જ છે. ॥ ૨૫૭૦ | તથા આ લોકમાં અવિરતિ જીવોને જે જે અને જેટલા જેટલા ભયનાં કારણો છે. તે તે અને તેટલા તેટલા ભાવો પ્રશસ્ત ભાવવાળા વિરતિધર મહાત્માઓને મોક્ષનું કારણ બને જ છે. ॥ ૨૫૭૧ ॥ વિવેચન :- અહીં જૈન આગમશાસ્રોમાં રૌદ્રધ્યાન ચાર પ્રકારનું કહ્યું છે. તે આ પ્રમાણે “બ્સે જિતં રોદ્દન્સાનું ? ોદ્દન્તાને ચદ્દેિ પન્નત્તે, તું બહા-હિંસાનુબંધી, મોસાળુવંધી, તેયાબંધી, સાવલળાનુબંધી” તે રૌદ્રધ્યાન શું છે ? તે ચાર પ્રકારે છે હિંસાનુબંધી મૃષાનુબંધી સ્તેયાનુબંધી તથા સંરક્ષણાનુબંધી ત્યાં (૧) હિંસાનો એટલે કે પ્રાણીઓના વધનો જ અનુબન્ધ એટલે કે નિરન્તર સતત વિચારો વર્તે છે જ્યાં તે હિંસાનુબંધિ રૌદ્રધ્યાન કહેવાય છે. (૨) મૃષા એટલે જુઠુ બોલવું તેના જ સતત વિચારો

Loading...

Page Navigation
1 ... 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278