________________
દિગમ્બર અવસ્થા
નિહ્નવવાદ
૨૧૨
તો ગ્રન્થિ (પરિગ્રહ) કેમ કહેવાય ? અર્થાત્ ન જ કહેવાય. આ બાબત તું સૂક્ષ્મદૃષ્ટિથી
વિચાર. ॥ ૨૫૬૮-૨૫૬૯ ||
અવતરણ :- ગાથા નં. ૨૫૫૫ના ઉત્તરાર્ધમાં જે આમ કહેવામાં આવ્યું કે “પળિો ભાવમુ-ભવાયા ત્તિ” વસ્ત્રાદિ રાખવાં તે પરિગ્રહ છે. કષાય હેતુ છે. મૂર્છા હેતુ છે અને ભયાદિનું કારણ છે ત્યાં તે ગાથામાં આવિ શબ્દથી હે શિવભૂતિ ! તે સંગ્રહીત કરેલી જે આવી દલીલ છે કે વસ્ત્રાદિ ચોરાઇ જશે-લુંટાઈ જશે ઇત્યાદિ વિચારો આવે તેટલા માટે તેનું સંરક્ષણ કરવાનું મન થાય તે સંરક્ષણાનુંબંધી રૌદ્રધ્યાનનું કારણ બને માટે તે વસ્ત્ર-પાત્રાદિ રાખવાં જોઇએ નહીં ત્યજવાં જ જોઇએ આવી દલીલ જો તું કરે તો તે દલીલનો પરિહાર કરતાં ગ્રંથકારશ્રી જણાવે છે કે :
सारक्खणाणुबंधो, रोद्दज्झाणं ति ते मई हुज्जा । तुल्ल मियं देहाइसु, पसत्थमिह तं तहावि ॥ २५७० ॥
जे जत्तिया पगारा, लोए भयहेअवो अविरयाणं । ते चेव य विरयाणं, पसत्थ भावाण मोक्खाय ।। २५७१ ॥
ગાથાર્થ :- વસ્રાદિ હોય તો તેને સાચવવાના પરિણામ સ્વરૂપ સંરક્ષણાનુબંધી નામનું રૌદ્રધ્યાન આવી જાય માટે વસ્રાદિ ન રાખવાં જોઇએ. આવી જો તું દલીલ કરતો હોય તો શરીરાદિ (શરીર-જ્ઞાન-દર્શન-ચારિત્ર આદિ ગુણો) સાચવવામાં પણ રૌદ્રધ્યાન થવાનો દોષ તો તુલ્ય જ છે. માટે તે પણ ન રાખવાં જોઈએ હવે કદાચ તું એમ કહે કે દેહાદિ (શરીર-જ્ઞાન-દર્શન અને ચારિત્રાદિ ગુણો) તો મોક્ષનું પ્રબળતર સાધન છે માટે જયણાપૂર્વક તેનું સંરક્ષણ કરવું તે રૌદ્રધ્યાન ન કહેવાય પરંતુ તે સંરક્ષણ તો પ્રશસ્ત છે માટે કરવા જેવું છે તો તેવું સંરક્ષણ અહીં પણ (વસ્રાદિ રાખવામાં પણ) મોક્ષની સાધનારૂપે તુલ્ય જ છે. ॥ ૨૫૭૦ |
તથા આ લોકમાં અવિરતિ જીવોને જે જે અને જેટલા જેટલા ભયનાં કારણો છે. તે તે અને તેટલા તેટલા ભાવો પ્રશસ્ત ભાવવાળા વિરતિધર મહાત્માઓને મોક્ષનું કારણ બને જ છે. ॥ ૨૫૭૧ ॥
વિવેચન :- અહીં જૈન આગમશાસ્રોમાં રૌદ્રધ્યાન ચાર પ્રકારનું કહ્યું છે. તે આ પ્રમાણે “બ્સે જિતં રોદ્દન્સાનું ? ોદ્દન્તાને ચદ્દેિ પન્નત્તે, તું બહા-હિંસાનુબંધી, મોસાળુવંધી, તેયાબંધી, સાવલળાનુબંધી” તે રૌદ્રધ્યાન શું છે ? તે ચાર પ્રકારે છે હિંસાનુબંધી મૃષાનુબંધી સ્તેયાનુબંધી તથા સંરક્ષણાનુબંધી ત્યાં (૧) હિંસાનો એટલે કે પ્રાણીઓના વધનો જ અનુબન્ધ એટલે કે નિરન્તર સતત વિચારો વર્તે છે જ્યાં તે હિંસાનુબંધિ રૌદ્રધ્યાન કહેવાય છે. (૨) મૃષા એટલે જુઠુ બોલવું તેના જ સતત વિચારો