________________
સપ્તમ નિદ્ભવ ગોષ્ઠામાહિલ મુનિ
૧૯૧ नासंसा सेविस्सामि, किंतु मा मे मयस्स वयभंगो । होही, सुरेसु को वा वयावगासो विमुक्कस्स ॥ २५४१ ॥
ગાથાર્થ:- વ્રતનો કાળ સમાપ્ત થાય ત્યારે હું ભાગો ભોગવીશ એવી આશંસાપૂર્વક જીવો વતો ગ્રહણ કરતા નથી. પરંતુ મૃત્યુ થયા બાદ મારો જીવ જે ગતિમાં જાય ત્યાં આ ભવના પચ્ચખ્ખાણનું સ્મરણ પણ રહેતું ન હોવાથી ભોગોમાં અવશ્ય જોડાય જ છે. ત્યારે મારા લીધેલા વ્રતનો ભંગ થઈ જાય તે ભંગ ન થાય. તે માટે માવજીવનું પચ્ચખ્ખાણ છે. દેવલોકમાં અવિરતિ જ હોવાથી વ્રતભંગના ભયથી માવજીવનાં પચ્ચખાણ કરાવાય છે કદાચ વ્રત પાલન કરતાં કરતાં જીવ મુક્તિપદ પામે ત્યાં પણ વ્રત પાળવાનો અવકાશ જ ક્યાં છે ? તે માટે માવજીવનું જ પચ્ચખ્ખાણ કરાવાય છે. |૨૫૪૧||
વિવેચન :- કદાચ અહીં કોઈ શિષ્ય આવો પ્રશ્ન કરે કે “યાવજીવ”નું જ પચ્ચખ્ખાણ હોય છે આવું તમે સમજાવો છો તો ત્યાં પણ મૃત્યુ થયા બાદ દેવલોકમાં જઈને હું ભોગોને ભોગવીશ આવી આશંસા થશે. તેથી આ પચ્ચખ્ખાણ આશંસા નામના દોષવાળું જ બનશે. પરંતુ આવો પ્રશ્ન કરવો તે ઉચિત નથી. કારણ કે પચ્ચખાણ કરનાર કોઈ પણ જીવ મૃત્યુ બાદ હું ભોગોને ભોગવીશ આવા પરિણામપૂર્વક ભોગોની ઇચ્છાપૂર્વક પચ્ચખ્ખાણ કરતું જ નથી. પરંતુ મૃત્યુ બાદ આ જીવ દેવલોકાદિમાં ઉત્પન્ન થાય. ત્યાં પૂર્વભવના સંસ્કાર રહેતા ન હોવાથી અવિરતિના ઉદયથી આ જીવ અવશ્ય ભોગોને ભોગવે જ છે. તેથી ત્યાં ગયા પછી મારા વ્રતનિયમનો ભંગ ન થઈ જાય. એવા ભયથી મારા વ્રતમાં કોઈ દોષ ન આવે આવા શુભ અધ્યવસાયના કારણે જ “યાવજીવ”નાં જ પચ્ચક્માણ કરાવાય છે. ત્યાં આશંસા ક્યાં આવી ?
આ ચાલુ ભવમાં વિરતિને આવરણ કરનાર ચારિત્રમોહનીયકર્મનો ક્ષયોપશમ અવશ્ય હોવાથી પચ્ચક્માણ કરવાં, વસ્તુનો ત્યાગ કરવો તે સ્વાધીન છે. પરંતુ મૃત્યુ બાદ આ જીવ દેવલોકમાં જાય ત્યાં અવશ્ય ચારિત્રમોહનીય કર્મનો ઉદય જ હોવાથી (અને ક્ષયોપશમભાવ ન હોવાથી). આ જીવ પરાધીન છે. આ કારણે જ જેટલી શક્યતા છે તેટલા જ કાળના નિયમવાળું એટલે કે માવજીવનું જ પચ્ચક્માણ કરાવાય છે. બીજા ભવમાં ગયા પછી અવરતિનો ઉદય થવાથી વ્રતપાલનની શક્યતા ન હોવાથી પચ્ચક્માણ કરાવાતાં નથી. પણ પરભવમાં જઇને ભોગવવાની આશંસાના કારણે માવજીવનો નિયમ કરાવાતો નથી. તેથી આશંસા દોષ કેમ લાગે ? માટે માવજીવનાં પચ્ચખ્ખાણ કરવામાં આશંસાદોષ સંભવતો જ નથી.