________________
૧૯૨
અબદ્ધ કર્મવાદ
નિહ્નવવાદ પ્રશ્ન :- વ્રત લેનાર આ જીવે આવા પ્રકારના વ્રતભંગના ભયથી શા માટે ડરવું જોઈએ ? કારણ કે આવા પ્રકારનાં વ્રત લેનારો જીવ અને સારી રીતે પાળનારો જીવ તો અવશ્ય મોક્ષમાં જ જવાનો છે અને ત્યાં કામ ભોગો ન હોવાથી વ્રતભંગ થવાનો સંભવ જ નથી. તો પછી વ્રત લેનારા તે જીવને આટલી બધી આકુળવ્યાકુળતા કેમ?
ઉત્તર :- ઉપરનો પ્રશ્ન જ અનુચિત છે કારણ કે વર્તમાન કાળે પાંચમો આરો હોવાથી મુક્તિગમન જ નથી મહાવિદેહ ક્ષેત્રમાં પણ દીક્ષા લેનારા સર્વે જીવોનું મુક્તિ ગમન સંભવતું નથી માટે માવજીવનાં પચ્ચશ્માણ કરવાં તે જ ઉચિત છે.
પ્રશ્ન :- હવે કદાચ આવો પ્રશ્ન કરવામાં આવે કે કોઈક જીવ વ્રત પાલન કરતાં કરતાં મુક્તિમાં જાય. તો પણ ત્યાં ભાંગોનો અવકાશ ન હોવાથી મારૂ માનેલું “અપરિમાણવાળું” (એટલે કે કાળના માપ વિનાનું પચ્ચક્ઝાણ) ગ્રહણ કરાય તો પણ મુક્તાવસ્થામાં પણ મહાવ્રતનું પાલન શક્ય હોવાથી અપરિમાણવાળું પચ્ચક્કાણ કરવું જ વધારે ઉચિત છે. સફળતાવાળુ છે. તેથી શા માટે માવજીવના પરિમાણવાળું પચ્ચખાણ કરવું જોઈએ ?
ઉત્તર :- વ્રત પાલન કરતાં કરતાં જે જીવ મુક્તિપદ પ્રાપ્ત કરે તેવા મુક્તિ પામેલા નિચ્છિતાર્થ થયેલા (જનાં સર્વ ઇષ્ટ સિદ્ધ થઈ ગયાં છે તેવા) આ જીવને હવે વ્રતપાલનનો અવકાશ કેવી રીતે રહે? હવે વ્રતોની સફળતા શું ? જે કાર્ય કરવું હતું તે કાર્ય તો થઈ જ ગયું છે. હવે કંઈ સાધવાનું તો શેષ જ નથી તેથી જ મુક્તિગામી જીવોને આશ્રયીને પણ અપરિમાણવાળુ પચ્ચક્માણ કરવું ઉચિત નથી.
તે આ પ્રમાણે બહુ જ સમજુ જીવ હોય કે ભોળો જીવ હોય આમ બન્ને પ્રકારના જીવોને સામે રાખીને કોઈ પણ વ્યક્તિની અપેક્ષા વિના સામાન્ય માત્રથી જ “પરિમાન” પચ્ચખાણ કરવામાં જે જે દૂષણો હતાં તે કહ્યાં. હવે પછીની ગાથામાં વિશેષ સમજનારા અભિન્ન (પંડિત) પુરુષો પ્રત્યે વિશેષે નિર્ણય કરીને વધારે દૂષણ સમજાવતાં કહે છે ||૨૫૪૧.
અવતરણ - કંઈક વિશેષાને આશ્રયી વધારે દૂષણ સમજાવતાં કહે છે - जो पुणरव्वयभावं मुणमाणोऽवस्सभाविनं भणइ । वयमपरिमाणमेवं, पच्चक्खं सो मुसावाई ॥ २५४२ ॥
ગાથાર્થ - ભાવિમાં અવશ્ય આવનારા અવિરતિભાવને જાણતો હોવા છતાં પણ તે જીવ “અપરિમાણવાળું” પચ્ચક્માણ કરે છે તે જીવ સાક્ષાત્ મૃષાવાદી છે રપ૪રા