________________
સપ્તમ નિદ્ધવ ગોષ્ઠામાહિલ મુનિ
૧૯૩ વિવેચન :- જે આત્મા કંઈક ભણેલો છે શાસ્ત્રોના અભ્યાસથી સંસ્કારિત મતિવાળો થયેલો છે આવો પંડિતપુરુષ વ્રતોને ગ્રહણ કરે છે. તે પુરુષ કંઈક જાણકાર હોવાથી મનમાં સમજે જ છે કે “જે આત્મા સારામાં સારૂ વ્રત પાળે તે આ કાળે અવશ્ય દેવલોકમાં જ જય.” આવું જ જાણે છે તથા દેવલોકમાં અવશ્ય અવિરતિભાવ જ આવવાનો છે. આમ જાણવા છતાં પણ જે જીવ અપરિમાણવાળું (માવજીવના માપથી રહિત) પચ્ચક્માણ કરે છે. આ પ્રમાણે અપરિમાણવાળા પચ્ચખાણને બોલતો અને સ્વીકારતો તે જીવ સાક્ષાત્ મૃષાવાદી જ છે કારણ કે બોલે છે કંઈ, અને કરે છે કંઈ બોલે છે અપરિમાણવાળુ પચ્ચખ્ખાણ, અને આચરે છે માવજીવ સુધીનું જ પચ્ચખ્ખાણ માટે મૃષાવાદી છે. તેથી આ માર્ગ પણ ઉચિત નથી. મેં ૨૫૪૨ /.
અવતરણ - તથા વળી भावो पच्चक्खाणं, सो जइ मरणपरओ वि तो भग्गं । अह नत्थि न निद्दिस्सइ, जावज्जीवं ति तो कीस ? ॥ २५४३ ॥
ગાથાર્થ - ભાવ એટલે માનસિક વિરતિનો પરિણામ તે પચ્ચક્કાણ કહેવાય છે. હવે જો તે પચ્ચખ્ખાણ મૃત્યુ પછીનું પણ (એટલે કે અપરિમિત કાળનું) કરવામાં આવે તો વ્રતભંગ જ થાય અને જો આવું અપરિમિત કાળવાળું નથી તો પછી વચનથી પણ વાવજીવ કેમ નથી સ્વીકારતા ? માવજીવનું પચ્ચકખાણ બોલવામાં શું વિરોધ છે ? I૫૪૩
વિવેચન - અહીં ભાવથી એટલે કે માનસિક વિરતિનો જે પરિણામ છે તેને પચ્ચશ્માણ કહેવાય છે. તે આવુ પચ્ચખ્ખાણ કરનારા જીવને માવજીવ સુધીનું (આ ભવમાં આ શરીરમાં આ જીવ જીવે ત્યાં સુધીનું) જ છે કે મૃત્યુ પછી પણ આ વ્રત સદા પાળવાનું જ હોય છે? આમ બે પક્ષો છે કહો તમે ક્યો પક્ષ કહેવા માગો છો ?
જો બીજો પક્ષ કહેવા માગતા હો તો એટલે કે મૃત્યુ પછી પણ વિષયોનો ત્યાગ વાળું અપરિમિત કાળનું જ મારે પચ્ચશ્માણ છે. આમ જે કહો તો તે જીવનું પચ્ચક્કાણ અવશ્ય ભગ્ન જ બને છે કારણ કે આ કાળે વ્રત પાલન કરનારા જીવો મોક્ષે જતા નથી પણ નિયમા દેવગતિમાં જ જાય છે અને ત્યાં ભોગોના સેવનથી અવશ્ય વ્રતભંગ થાય જ છે માટે આ પક્ષ બરાબર નથી. - હવે જો પ્રથમ પક્ષ કહેતા હો તો એટલે કે પાવજીવ સુધીનું જ પચ્ચખાણ છે તો પછી “જાવક્નીવ' આમ સ્પષ્ટ શબ્દોથી પરિમાણ બોલવામાં શું તકલીફ છે ? શા માટે માવજીવમ્ ન બોલાય ? જેથી મનમાં જુદુ અને વચનમાં જુદુ આવો ભેદ રાખવાની શી જરૂર ? સ્પષ્ટ શબ્દોથી યાવન્નીવં કહેવામાં કંઈ દોષ નથી ૨૪૫૩