________________
સપ્તમ નિદ્ધવ ગોષ્ઠામાહિલ મુનિ
૧૮૫ ગાથાર્થ - અપરિમાણ એટલે શું? (૧) શક્તિ (૨) અનાગતાદ્ધા (ભાવિનો કાળ) કે (૩) અપરિચ્છેદ (અમાપ) આ ત્રણ અર્થ સંભવી શકે છે. તમે આ ત્રણમાંથી ક્યો અર્થ કરો છો ? જો શક્તિ અર્થ કરો તો જયાં સુધી મારી શક્તિ છે ત્યાં સુધીમાં જ પચ્ચક્કાણ આવો અર્થ કરીએ તો તે શક્તિ પરિમાણ રૂપ થઈ (પણ અપરિમાણ ન રહ્યું) | ૨૫૩૪ ||
સૂર્યની ક્રિયાથી જેમ કાળનું અનુમાન કરાય છે તેમ શક્તિ અને ક્રિયાથી કાળનું અનુમાન કરાય છે. તેથી અપરિમાણપણાની હાનિ થાય છે. તથા આશંસા નામનો દોષ તો તેવો ને તેવો જ વર્તે છે. | ૨૫૩૫ |
વિવેચન :- હંમેશાં પચ્ચખ્ખાણ તો પરિમાણ વિનાનું કરાય (માપ બાંધ્યા વિના કરાય) તો જ શ્રેયસ્કર કહેવાય. આવું કોઈક શિષ્ય પ્રશ્ન કરે. તો તેને ગુરુજી આ ગાથામાં ઉત્તર આપે છે કે “અપરિમાણ એવું પચ્ચક્કાણ હોવું જોઈએ. આમ જે કહો છો ત્યાં “અપરિમાણ” એટલે શું ? “અપરિમાણ શબ્દનો અર્થ તમે શું કરો છો ? (૧) શું શક્તિ અર્થ કરો છો ? કે (૨) અનાગતાદ્ધા (ભાવિનોકાળ) આવો અર્થ કરો છો કે (૩) અપરિચ્છેદ (અમાપકાળનું પચ્ચક્ઝાણ) આમ ત્રણ અર્થો થઈ શકે છે. તમે આ ત્રણ અર્થોમાંથી ક્યા અર્થમાં અપરિમાણ શબ્દનો પ્રયોગ કરો છો ?
(૧) જો પરિણા આ શબ્દનો આવો અર્થ કરાય કે જ્યાં સુધી મારી શક્તિ હશે ત્યાં સુધી હું આ પચ્ચખાણ કરું છું એટલે કે ત્યાં સુધી તે દોષ હું સેવીશ નહીં. આવો અર્થ જો અપરિમાણ શબ્દનો કરાય તો તે શક્તિ એ જ પરિમાણ થયું કહેવાય. તેથી તો તમે જેનો નિષેધ કરો છો. તેનું જ વિધાન કર્યું કહેવાશે, કારણ કે “જયાં સુધી મારી શક્તિ છે ત્યાં સુધી આ દોષ હું નહીં એવું. આવા પ્રકારની શક્તિ ક્રિયા દ્વારા પચ્ચક્કાણની અવધિભૂત કાળનું જ અનુમાન થાય છે. અર્થાત્ જેટલા કાળ સુધી મારી ત્યાગની શક્તિ છે. તેટલા કાળ સુધી હું આ વસ્તુ નહીં એવું “ આમ જ અર્થ થાય છે જેમ સૂર્યાદિની ગતિક્રિયા વડે સમય-આવલિકા વિગેરે કાલનું અનુમાન કરાય છે તેમ અહીં પણ શક્તિ ક્રિયા વડે પચ્ચક્માણની અવધિનો કાળ જ મપાય છે.
હવે કદાચ તમે એમ કહો કે ભલે એમ જ હો. અર્થાતુ પાણની અવધિથી કાળ જ મપાય છે. તો તેમ માનવામાં શું દોષ આવે ? તો તમારો આ પ્રશ્ન ખોટો છે. કારણ કે તેમ કરવા જતાં તમે ધારણ કરેલો એટલે કે પ્રતિજ્ઞા કરેલા “અપરિમાણ વાળા પક્ષની હાનિ થાય. કારણ કે મારી શક્તિ હોય અને કરી શકાય ત્યાં સુધી જ હું પચ્ચખાણ કરું છું. આમ કરવાથી શક્તિ અને ક્રિયા દ્વારા અનુમાન કરાયેલા કાળનું